SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ જીશાવલા નાથ ભગવાનના મંદિરના વર્ષગાંઠના અઠ્ઠાઈ મહોત્સવના દશમા દિવસે ઉત્સવ કરે.” આ ઉપરથી આ ગામ તેરમા સિકા પહેલાનું જણાય છે, એ સમયે જેની સારી વસ્તી હોય એમ પણ સૂચિત થાય છે અને અહીં અગાઉ જૈન મંદિર પણ હતું એની સાબિતી ગામના અગ્રભાગમાં પડેલા જૈન મંદિરના ખંડિયેર ઉપરથી મળે છે. આ ખંડિયેરની આસપાસ મકરાણુ પથ્થરના ઘડેલા પથ્થરને ઢગલે પડયો છે. પાસે આવેલું લક્ષમીનારાયણનું નવું વૈષ્ણવ મંદિર બંધાવવામાં આ પથ્થરને ઉપયોગ થયેલું જોવાય છે. એની દીવાલમાં ચણેલા એક પથ્થરમાં કંડારેલી જૈન મૂર્તિઓ આજે પણ નજરે ચડે છે; એથી પણ અસલના જૈન મંદિરની સાબિતી મળે છે. આ સિવાય ગામના ચારાની દીવાલમાં પણ એ ખંડિયેરના પથ્થરે ચણેલા દેખાય છે. અહીં શ્રાવકેનાં ૧૨ ઘરે છે. ૧ નાને ઉપાશ્રય અને ૧ દેરાસર મોજુદ છે. મૂળનાયક શ્રીષભદેવ ભગવાનના ધાબાબંધી આ મંદિરમાં ત્રણ જિનમૂતિઓ આરસની છે અને એ બધી ઋષભદેવ પ્રભુની છે. મૂળનાયક ઉપર સં. ૧૭૪૫ને લેખ છે. આ દેરાસર નવું તૈયાર કરાવીને સં. ૧૯૩૫ના જેઠ સુદિ ૫ના રોજ મૂળનાયકની સ્થાપના કરવામાં આવી છે. સેલવાડા અને ભામરા ગામના રસ્તા વચ્ચે એક જૈન મંદિરનું ખંડિયેર ઊભું છે તેને ઘણેખરે ભાગ પડી ગયો છે પણ ભીંતે કાયમ છે. ૧૬૦. જીરાવલા (કઠા નંબર: ૩૦૬૦ ) ખરાડીથી આબુન્દેલવાડાના રસ્તે ૨૦ માઈલ અને અણાદરા ગામથી ૮-૯ માઈલ દૂર જીરાવાલા નામનું ગામ છે. જૈન ગ્રંથમાં આ પવિત્ર તીર્થને ઉલ્લેખ જીરાવલી, છરિકાપલી વગેરે નામથી કરેલા જોવાય છે. આ તીર્થને મહિમા એટલે પ્રસિદ્ધિ પામ્યું કે એરિયામાં જગન્નાથપુરી, મારવાડમાં ઘારાવ, નાડલાઈ, નંદેલ, બલેલ, સિરોહી અને મુંબઈ પાસેના ઘાટકોપર વગેરે સ્થળે જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની સ્થાપના થયેલી છે. આ પ્રાચીન તીર્થ વિશે વિવિધ કથાઓ અને ઉલેખે મળી આવે છે. “ઉપદેશ સતિ” નામના ગ્રંથમાં આ તીર્થ વિશે એક કથા બેંધાયેલી છે એને સાર આ છે: વિ. સં. ૧૧૦૯ (૯૦) માં વરમાણુના એક ધાંધલ નામના શેઠને દેવત્રી ગિરિની ગુફામાં રહેલી પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમાની ભાળ લાગી અને તે બિંબ જીવલાના મંદિરમાં મૂળનાયક તરીકે સ્થાપેલા શ્રીમહાવીરસ્વામી ભગવાનને સ્થાને સ્થાપન કરવામાં આવ્યું.” આ હકીકત આપણને અહીં અગિયારમી સદી પહેલાં મંદિર હવાનું પ્રમાણ આપે છે. જ્યારે “વીરવંશાવલી”માં નેપ્યું છે કે " तिवारई धांधलइ प्रासाद नीपजावी महोत्सव वि. सं० ११९१ वर्षे श्रीपार्श्वनाथप्रासादे स्थाप्या श्रीअजितदेवसूरि प्रतिष्ठ्या ॥" - આ ઉલેખ સં. ૧૧૯૧ માં શ્રી પાર્શ્વનાથને ન પ્રાસાદ શેઠ ધાંધલે કરાવી શ્રીઅજિતદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કર્યાની રજૂઆત કરે છે. એટલે સં. ૧૧૯૧માં આ મંદિર અસ્તિત્વમાં આવ્યાને નિર્ણય તે સ્પષ્ટ છે. એ પછી સં. ૧૩૬૮ માં આ મંદિર મુસલમાનોના ધાડાંથી ઘેરાયું અને મંદિર તેમજ મૂતિને ભારે નુકસાન થયું. જીરાવલીમંડન પાર્શ્વનાથવિનતિ” નામના પ્રાચીન સ્તોત્રમાં આ હકીકતને ઉલેખ આ રીતે મળે છે: “તેરાસરું માસા (૨૨૬૮) વસિર્હિ, અકુરટ્ટ નીતર નિનિ સિદ્દિ મહમપ્રહ વિરાટે " (જરી : ૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy