SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ જેન તીર્થ સર્વસંગ્રહ હશે, એ યક્ષ મહત્તરે કષ્ણુ નામના વિપ્રને દીક્ષા આપી, જેઓ કષ્ણમુનિ તરીકે (નવમા સૈકામાં) ખ્યાતિ પામ્યા. તેમણે નાગરમાં નારાયણ નામના શ્રેષ્ઠાને પ્રતિબંધ કરી નાગરના કિલામાંની ભૂમિ ઉપર જિનમંદિર બંધાવ્યું. કૃષ્ણમુનિના પૂજ્ય શ્રીદેવગુપ્તસૂરિએ ગુજરાતથી આવીને તે મંદિરની પ્રતિષ્ઠા કરી અને તેની વ્યવસ્થા માટે ૭૨ શ્રેષ્ઠીઓની નિમણુંક કરી. આ જ કૃષ્ણમનિથી “ કચ્છર્ષિ” નામને ગછ ખ્યાતિ પામે. એ જ મંદિરમાં સં. ૯૧૭ ના આષાઢ માસની શુકલ પંચમીના દિવસે શ્રીજયસિંહસૂરિએ શ્રીમહાવીર જિનની પ્રતિષ્ઠા કરી હતી. ૧૯ જોધપુર પાસે આવેલા ઘટિયાળા ગામમાંથી મળી આવેલા સં. ૯૧૮ના પ્રાકૃત શિલાલેખથી જણાય છે કે, ભારના પ્રતીહારવંશીય કેટલા રાજાઓએ રાજત્યાગ કરી અનશનવ્રત ગ્રહણ કર્યું હતું, એ ઉપરથી ફલિત છે કે, આ વંશના રાજાઓને કેઈ જેનાચાર્યે પ્રતિબોધ આપી જેન બનાવ્યા હશે. તે વંશમાં ૧૪મે કણક નામે રાજા થયો. તેણે સં. ૯૧૮ના ચિત્ર સુદિ ને બુધવારના દિવસે સુંદર જિનભવન કરાવી શ્રીધનેશ્વરગચ્છને અર્પણ કર્યું હતું.૨૦ એ પછી સં. ૯૩૭ના લેખવાળી એક પ્રતિમાની નેંધ અમે ઘાંઘાણીના વર્ણનમાં આપી છે. હસ્તિકડી ( હથુંડી ના જૈન મંદિરમાંથી વિ. સં. ૧૦૫ને શિલાલેખ મળી આવ્યું છે, તે પરથી પ્રગટ થાય છે કે, વિ. સં. ૯૭૩માં રાઠેડવંશીય વિદગ્ધ રાજાએ શ્રીવાસુદેવાચાર્યના ઉપદેશથી અહીં જિનમંદિર બંધાવ્યું; એટલું જ નહિ પણ તેના નિભાવ માટે પોતાનું સુવર્ણ તેલ કરાવી તેને રે ભાગ મંદિરને ભેટ કર્યો અને ૩ ભાગ શ્રીવાસુદેવાચાર્યની આજ્ઞા પ્રમાણે વાપર્યો. વિદગ્ધરાજના પુત્ર ધવલે એ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી તેના માટે કેટલીક ઉપજ વધારી આપી. આ વંશના મોટા ભાગના રાજાએ જેન હતા એમ પણ શિલાલેખથી સૂચન મળે છે. ૨૧ ભગવાન મહાવીરની પાટે થયેલા ૩૬ મા ગુરુ શ્રી સર્વદેવસૂરિઓ વિ. સં. ૧૦૧૦માં રામાન્યપુરમાં ચંદ્રપ્રભ જિનેશ્વરની પ્રતિષ્ઠા કરી અને ચંદ્રાવતીમાં ઉત્તગ જિનપ્રાસાદ બંધાવનાર કંકણ મંત્રીને પ્રતિબધી દીક્ષા આપી હતી.૨૨ શ્રીશીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ધર્મઘોષસૂરિએ સં. ૧૧૮૧માં ફધિ પાર્શ્વનાથ જિનમંદિરની પ્રતિષ્ઠા કરી હતી. ૨૩ માલધારી શ્રી અભયદેવસૂરિ( બારમે સકે)એ હજારે બ્રાહ્મણ અને કડમડ નામના ચક્ષને પ્રતિબધી મેતપુર (મેડતા)માં શ્રીવીરપ્રભુનું ચૈત્ય કરાવ્યું હતું.૨૪ ભગવાન મહાવીરની પાટે થયેલા ૪૦ મા ગુરુ શ્રી મુનિચંદ્રસૂરિના શિષ્ય શ્રીવાદિદેવસૂરિએ સં. ૧૨૦૪માં ફલવર્ધિ (ફલેધિ)ના ચૈત્યમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન અને આરાસણ (કુંભારિયા)ના ચિત્યમાં શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી.૨૫ ભગવાન મહાવીરની માટે થયેલા ૩૬ મા ગુરુ શ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી પેથડ મંત્રીએ સં. ૧૩૨૦ લગભગમાં ઠેર ઠેર મળીને ૮૪ જિનમંદિર બંધાવ્યાં હતાં તે પૈકીનાં ચિતેડ, નાગપુર, વિક્રમપુર, જયસિંહપુર, મધ્યકપુર, રૂણ, કરંટક, કરહેટક, મંગલપુર વગેરે સ્થળોમાં જિનમંદિર બંધાવ્યાં હતાં. ૬ આ રીતે કેટલાંક સીધાં અને અવાંતર પ્રમાણેના આશ્રયે આ પ્રદેશના જૈન મંદિરના ઈતિહાસની નેંધ આપી ૧૯. “ધર્મોપદેશામાલા'- પ્રસ્તાવના–પં. લાલચંદ્ર ભ. ગાંધી. ૨૦. “જૈન સાહિત્ય સંમેલન અંક'માં ‘મારવાડકે સબસે પ્રાચીન લેખ’–૫. રામકરણ. ૨૧. “પ્રાચીન જૈન લેખસંપ્રલ’ ભા. ૨, લેખાંક ૩૧૮, ૩૧૯. ૨૨. “ગુર્યાવલી'-મુનિસુંદરસૂરિ, શ્લોકઃ ૫૭, ૫૮. २३. “एगारससएसु इक्कासीइसमहिएसु विकमाइवरिसेसु अइक्कतेसु रायगच्छमंडणसिरिसीलभद्दसूरिपट्टपइदिएहिं महावाइदिअंबरगुणचंद्रविजयपत्तपइ हि શિરિન પોલીડું જ્ઞાનના વિરે ૨૩લિંપસમવયં વદ ગિત છે ” “વિવિધતીર્થક પાન્તર્ગત–શ્રોફલવદ્ધિપાર્શ્વનાથક૫ ” ૨૪. “દ્વયાશ્રયમહાકાવ્ય " પ્રશસ્તિ, લોકઃ ૨૫. “ઉપદેશ સપ્તતિકા” ઉદ્દેશ છે ૨૬. ગુર્નાવલી -શ્રીમુનિસુંદરસૂરિ, કઃ ૧૯૧ થી ૨૦૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy