SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ તેલપુર ગામમાં પિષ ૧૦ મીએ આ મંદિર નિમિત્તે એક મેળો ભરાય છે. બાકી મોટાં પર્વોમાં કે અહીં યાત્રા આવે છે. કુલેરા : બનાસ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૩ માઈલ અને લાજથી નૈઋત્ય ખૂણામાં ૧ માઈલ દૂર કુલેરા નામે ગામ છે. અહીં ઉપાશ્રય, ધર્મશાળા કે કોઈ જૈન શ્રાવકની વસ્તી નથી. અહીં એક ટેકરીના ઊંચાણ ભાગમાં જૈન મંદિરનું ખંડિયેર પડયું છે. ખંડિયેરને જોતાં મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, ચેકી, ભમતીને કટ અને શિખરયુક્ત કાળા પથ્થરનું બનેલું હતું. અત્યારે માત્ર ભોંયતળિયાથી ૪-૬ ફીટની દીવાલે અને છ ચોકીના ઘૂમટયુક્ત મંડપે ઊભા છે અને કેટની દીવાલે હજી કાયમ છે, જ્યારે તેને દરવાજે પડી ગયું છે. મંદિરની આસપાસ મકાનનાં ઘણાં ખંડિયેર પડયાં છે. તેના ઉપરથી અનુમાન થાય છે કે અગાઉ આ ગામ મોટું અને સારી સ્થિતિમાં હશે. ગામની બહાર આવેલા સરના પથ્થર ઉપર સં. ૧૬૩૯ ૧૬૮૮ ના લેખે મળી આવે છે, તેથી એ સમય પછી ગમે તે સમયે આ ગામ ભાંગ્યું હશે. અહીંથી કંઇક નીચાણ ભાગમાં થોડાં વર્ષો પહેલાં ગામ વસ્યું છે પણ જેનેની વસ્તી નથી. ગામની પાસે બનેલા ચારામાં મકરાણાના કેરણીભર્યા સંભે અને પાટ વગેરે કઈ જૈન મંદિરમાંથી લાવીને લગાડયા હોય એમ જણાય છે. ૧૫૧. તેલપુર (કોઠા નંબર: ૯૮૨ ) સજનરેડ સ્ટેશનથી ૧૦ માઈલ અને સિહીથી અગ્નિખૂણામાં ૬ માઈલ દૂર તેલપુર નામે ગામ છે. આજે અહીં ઉપાશ્રય ધર્મશાળા કે જેનનું એક પણ ઘર નથી, પરંતુ એક પ્રાચીન મંદિર વિદ્યમાન છે, જે અહીંના જેનેની ભૂતકાલીન સ્થિતિને ખ્યાલ આપી રહ્યું છે. પહેલાં શ્રાવકેની વસ્તી અહીં સારા પ્રમાણમાં હતી પરંતુ સં. ૧૮૬૯માં આજુબાજુનાં કેટલાંક ગામ ભાંગ્યાં તેની સાથે જ આ ગામ પણ વસ્તી વિનાનું થઈ ગયું. અહીંનાં કેટલાંયે શ્રાવક કુટુંબ વિરવાડા, સાણવાડા, નાંદિયા અને ગુજરાતનાં ગામનાં વસવાટ કરવા ચાલ્યાં ગયાનું કહેવાય છે. આજે માત્ર રજપૂત, રબારી, ભીલ વગેરેનાં ૬૦ જેટલાં ઘરે છે. એક ઉપાશ્રય હતે પણ આજે તે ખંડિયેર હાલતમાં છે. અહીં પહાડની એક ઊંચી જગામાં અને નાની ટેકરીની ઓથમાં શ્રી આદિનાથ ભગવાનનું મંદિર આવેલું છે. મૂળ ગભારે, ગૂઢમંડપ અને ભમતીના કેટટ્યુક્ત શિખરબંધી બનેલું છે, મૂળનાયકની મૂર્તિ પંચતીથીના પરિકરયુક્ત છે. મૂર્તિ ઉપર લેખ નથી. પરિકરની ગાદી ઉપરને લેખ તદ્દન ઘસાઈ ગયેલું છે. પરિકરના બે કાઉસગિયા નીચે સં. ૧૫૨૧ને લેખ છે, જેમાં તેલપુર ગામને ઉલ્લેખ કરે છે, તે આ પ્રકારે છે – " सं. [0] १५२१ माघ शु. १३ गुरौ तेलपुरे श्रीआदिनाथपरिकरः प्रतिष्ठितः ॥ तपाश्रीलक्ष्मीसागरसूरिभिः ॥" આ લેખ ઉપરથી આ ગામ સં. ૧૫૨૧ કરતાં વધુ પ્રાચીન હોવાનું જણાય છે પરંતુ મંદિર કયારે બન્યું એ સંબંધી કઈ પણ લેખ મળી આવ્યું નથી. ગઢમંડપ અને સ્તંભે ઉપર કદાચ લેખ હોય પણ ચૂનાનું લાસ્તર કરેલું હોવાથી તે મેળવવા મુશ્કેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy