SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦ જૈન તીર્થ સર્વસંગ્રહ. ડીડિલા ગામના મંદિરના મૂળનાયકને આમાં પ્રતિષ્ઠિત કર્યા. આ ઉપરથી એમ જણાય છે કે, સં. ૧૪૬૫ પહેલાં ડીંડિલા ગામનું મંદિર પડી ગયું હોય કે કોઈ આતંકના કારણે મૂળનાયકની ફેરબદલી કરવી પડી હોય. નિષિ કા બિના અગાઉ અહીં શ્રાવકની વસ્તી સારા પ્રમાણમાં હતી પરંતુ આજે એકે ઘર વિદ્યમાન નથી. અહીં માત્ર ૧૦-૧૫ રબારીનાં ઘરે છે. અહીંથી ૧ ફર્લોગ દૂર કંઈક નીચાણમાં નવું ગામ વસેલું છે. વીરેલી : કેટરાથી ઉત્તર દિશામાં ૧ માઈલ દૂર અને સજજનરેડ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૬ માઈલ દૂર વીરોલી નામે. ગામ છે. તેનું પ્રાચીન નામ વિરૂલી હશે એમ કટરા ગામના ઝાંપામાં પડેલી એક સરઈના સં. ૧૫૫૭ ના મહારાવ જગમાલના સમયના લેખથી જણાય છે. અહીં ઊંચાણવાળી જમીનમાં એક મંદિર સાબૂત ઊભું છે. તેમાં મૂર્તિઓ વિદ્યમાન નથી. અહીંથી મૂતિઓ, ક્યારે કયાં લઈ જવામાં આવી તેની માહિતી મળી નથી. મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, સભામંડપ, શિખર અને કેટયુકત બનેલું છે. કેટને થેડો ભાગ પડી ગયું છે. સિવાય આખુંય મંદિર સારી સ્થિતિમાં વિદ્યમાન છે. મૂળગભારે, ગૂઢમંડપ અને કેટની બારશાખમાં મંગળમતિ શ્રીજિનેશ્વરની કૃતિઓ બિરાજમાન કરેલી છે. મૂળ ગભારામાં પબાસણ વિદ્યમાન છે. મંદિરમાં ચૂનાની કલાઈ કરાવેલી છે, જે જીર્ણોદ્ધાર કર્યાની સાબિતી આપે છે. આ મંદિરની ઈટ ૧ર૪૬ ઈંચ લાંબી-પહોળી અને ૨૪રા ઈંચની જાડી છે. મંદિર પંદરમા સૈકા કરતાં પ્રાચીન જણાય છે. આ ગામ ક્યારે ઉજજડ બન્યું એ જાણવાને કશું સાધન નથી. મંદિરની આસપાસ મકાનનાં અવશે, ઇંટેનાં રેડાં વગેરે પડયું છે અને મંદિરની વિદ્યમાનતા જ અહીં જેની વસ્તી હવાને પુરા આપી રહી છે. થોડાં વર્ષો અગાઉ આ મંદિરથી ૨ ફલોંગ દૂર નીચાણવાળી જમીનમાં ગામ વસ્યું છે. તેમાં રજપૂત અને રબારીએાનાં ૪૦-૪૫ ઘરે વિદ્યમાન છે. ૧૪૬. ઉંદરા (કેઠા નંબર : ર૯૭૭) સજનરેડ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૪ માઈલ અને બ્રાહ્મણવાડાથી ૧ માઈલ દૂર ઉંદરા નામે ગામ આવેલું છે. અહીં ઉપાશ્રય, ધર્મશાળા કે જેનનું એકે ઘર નથી. મંદિરની આસપાસ મકાનનાં અવશેષે વિદ્યમાન હોવાથી જણાય છે કે, અગાઉ અહીં આસપાસ ઠીક પ્રમાણમાં વસ્તી હશે અને જેન મંદિર હોવાથી જેનેની વસ્તી પણ સારી હોવાનું પ્રમાણું મળે છે. આજે તે આ મંદિરથી ૨ ફર્લોગ દૂર ગામ વસ્યું છે. હાલના ગામથી દુર જંગલમાં એક નાની ટેકરીની ઓથમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર વિદ્યમાન છે. મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ અને ભમતીના કેટયુક્ત શિખરબંધી બનેલું છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની મનોહર મૂર્તિ છે, તેની નીચે સં. ૧૪ન્ને લેખ આ પ્રકારે છે – ૦િ] ૨૪૬૧ ૪૦ ૩૦ ૧... [at]ળવારા નિતાબાસા થીઃ | શ્રીમહાવીર રીંદ્રા ગાળા .....” વળી, ગૂઢમંડપમાં સમ્મુખ ભાગના પાટડા ઉપર મંદિર બંધાવ્યા સંબંધી સં. ૧૪૮૯નો લેખ આ પ્રકારે છે – ___"सं० १४८९ वर्षे माह सुदि १३ दिने प्राग्वाटज्ञातीय सा० ललतपाल भा० नामलदे पुत्र सा० सोहव भा० सोढी तत्पुत्र श्रीतीर्थयधर्मकर्मकारक सा० षीमा भा० गोरी तत्पुत्रेण दृढश्रीदेवगुरुभावितांतःकरणेन प्रौढश्रीविभवाकरणप्रवीणेन सा० पुंजाकेन Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy