SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ જૈન તીર્થ સર્વસંગ્રહ દ્ધાર કરાવ્યા સંબંધે છે, તેમાં આ ગામનું નામ “વીરવાડા” આપેલું છે. ઉપર્યુક્ત લેખને સમર્થન આપતે આ લેખ એટલું તે સ્પષ્ટ કરે છે કે આ ગામ અને મંદિર સં. ૧૪૧૦ કરતાં અવશ્ય પ્રાચીન છે. શ્રીમેહ કવિએ સં. ૧૪ ની આસપાસમાં રચેલી “તીર્થમાળામાં અને પં. શ્રીશીલવિજય ગણિએ સં. ૧૭૪૫ માં રચેલી “તીર્થમાળા’માં શ્રીધર્મનાથ ભગવાનના મંદિરને ઉલેખ ક્રમશઃ આ પ્રમાણે મળે છે – વીરવાહિ શ્રીધમ જિર્ણ ૧ “વીરવાડઇ ઇક ધર્મ વિચાર જ્યારે શ્રીજ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૫૫ માં રચેલી “તીર્થમાળામાં અહીંના મંદિરને શ્રી મહાવીર ભગવાનનું હોવાને ઉલ્લેખ આ રીતે કર્યો છે – “અઝહરી વરવાડિમાં એ, બંજણવાડિ વીર ઝ૩ ઉપર્યુક્ત વર્ણને મંદિરમાં જીર્ણોદ્ધાર પ્રસંગે મૂળનાયકમાં થયેલા ફેરફારનાં પ્રમાણ આપે છે. અહીં શ્રાવકનાં ઘર ૪૮, ઉપાશ્રયે ૪, ધર્મશાળાઓ ૨ અને ૨ જિનમંદિરે છે. આ મંદિરે પિકી એક શ્રી આદીશ્વર ભગવાનનું અને બીજું શ્રીધર્મનાથ ભગવાનનું છે. ૧, શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર પહાડની ટેકરીની એથમાં ઊંચાણ ભાગ પર આવેલું છે. મૂળગભારે ગૂઢમંડપ, નવચેકીએ, સભામંડપ, શંગારકી, ચારે તરફ ફરતી ૪૬ દેરીઓ યુક્ત છે. દેરીઓ સમેત કુલ ૪૭ શિખરોથી આ મંદિરની રચના આલીશાન દેખાય છે, દેરીઓ ૪૦ છે અને બંને બાજુએ ત્રણ-ત્રણ ખંડવાળા એકેક ગભારે છે. તે એકેક ખંડ ઉપર શિખશે છે. આ મંદિરને લેકે “બાવન જિનાલય” નામે ઓળખે છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રાચીન મૂર્તિ પંચતીથીન પરિકરયુક્ત છે. પરિકરની ગાદીમાં વચ્ચે દેવી, તેની નીચે બે હરણ અને બંને બાજુએ એકેક હાથી અને સિંહ છે. વળી, એક તરફ યક્ષ અને અંબિકાદેવીની મતિ છે. મૃતિ ઉપર લેખ જેવાતે. નથી. સંભવતઃ લેખને ભાગ લાદીઓ જડતાં દબાઈ ગયું હોય એમ જણાય છે. મંદિરમાં મૂર્તિઓને પરિવાર ઠીક પ્રમાણમાં છે. જમણા હાથે આવેલી એક ખાલી ઓરડીમાં થઈને ભમતીમાંથી બહાર જવાને દરવાજે મૂકેલે છે. એ દરવાજાની બારશાખમાં તીર્થકરની મંગળમૂર્તિ ઉત્કીર્ણ છે અને દરવાજા ઉપર શંગારકી પણ કરેલી છે. ગાકીના બહારના કંપાઉંડમાં એક ભેંયરું છે, તેમાં ખંડિત મૂર્તિઓ અને પરિક વગેરે ભંડારી દીધાં છે. છતને છેદીને જ ભેંયરામાં જઈ શકાય એવું પાકું કામ કર્યું છે. આ મંદિર સં. ૧૪૭૫ માં બન્યું હોવાની માહિતી એક લેખથી મળી આવે છે ડીંડિલા ગામના રહેવાસી પોરવાડ પાહાએ આ મંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા શ્રીવીરપ્રભસૂરિએ કરાવી છે. એ જ આચાર્ય મંદિરને રંગમંડપ પાત કરાવ્યાને એક લેખ એક સ્તંભ નીચે ચૂનામાં દબાયેલે મળી આવેલે. હવે તેની ઉપર ભંડારની આરસ પેટી લગાવ્યાથી એ લેખ દટાઈ ગયું છે.* આ સિવાય ગૂઢમંડપ, નવચોકી કે દેરીઓની બારશાખમાં બીજા લેખે તે હશે પરંતુ બધે ચૂનાનું લાસ્તર કરેલું હોવાથી તેને પત્તે લાગતું નથી. આ મંદિરના કંપાઉંડમાં જ શામળાજીનું વૈષ્ણવ મંદિર છે. ૨. વીરવાડા ગામથી ૧ ફર્લોગ દૂર દક્ષિણ દિશામાં બીજું મંદિર આવેલું છે, મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભાગ વાનનું આ મંદિર ટેકરીની એથમાં પણ કંઈક ઊંચાણવાળા ભાગમાં ઊભું છે. મૂળગભારે, ગૂઢમંડપ, ચોકી, ભાગમાં મૂહમભાર, ૪ ૫ વાડી, ૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” પૃ. ૧૦૬. ૨. એજનઃ પૃ. ૫૪. ૩. એજનઃ પૃ. ૧૩૭. ૪. “ અબુદાચલ પ્રદક્ષિણા જેન લેખસંદેહ” લેખકઃ ૨૭૮. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy