SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વાડા ૨૫૯ મૂર્તિ બિરાજમાન છે તે પૂરી ઘડાયેલી નથી, માત્ર મૂર્તિને આકાર છે. આ મૂર્તિ અહીંની એક વાવડી કે કૂવામાંથી મળી આવી હતી. કહે છે કે આ મૂર્તિને ઘડવા માટે ટાંકણુ લગાવ્યાં પરંતુ ટાંકણાં ચાલ્યાં નહિ, લેહી ને દૂધની ધારાઓ એમાં વહેવા લાગી એથી એ મૂર્તિ એમ ને એમ ઘડ્યા વિના જ મૂકી રાખેલી છે. લેકે આ મૂર્તિની પૂજા-માન્યતા ખૂબ કરે છે. એક પદ્માવતી દેવીની આરસ મૂર્તિ છે ને તેના ઉપર તીર્થકરની પાંચ મૂતિઓ કેરી કાઢેલી છે. અંબિકા દેવીની મૂર્તિ ૧ છે. ઉપરના માળમાં શિખરબંધી દેરીમાં ચૌમુખજીની રચના કરેલી છે. શ્રીબ્રાહ્મણવાડજીનું મંદિર મૂતા રાયચંદ નથમલજીએ પોતાના બગીચામાં બંધાવ્યું છે. સં. ૧૯૬૩ ના વૈશાખ સુદિ ૬ ને સોમવારના દિવસે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી પ્રતિષ્ઠિત છે. મૂળગભારે, સભામંડપ, ભમતી અને તેમાં ચાર દેરીએ યુક્ત શિખરબંધી રચના છે. કુલ પાંચ દેરીઓ હોવાથી તેને “પંચતીથી' કહે છે. એક દેરીમાં કેસરિયા ભગવાનની મૂર્તિ છે. મૂળ ગભારાની બહાર ચોમુખજી પધરાવેલા છે. સભામંડપમાં અંબાજીની મૂર્તિ છે, તેની રચના જેન શેલીની નથી. સંભવતઃ ક્યાંકથી લાવીને આ મૂર્તિ મૂકી હશે, એમ જણાય છે. આ ત્રણે મંદિરની ધાતુપ્રતિમાઓના સં. ૧૨૨૬ થી સં. ૧૯૯ સુધીના લેખે મળી આવે છે.' બગીચાના એક ખૂણામાં કૂ-અરટ છે, અને એક શિવાલય પણ ઉક્ત શ્રેષ્ઠીએ બંધાવેલું છે. ૧૩૩. વાડા (કઠા નંબર : ર૯ર) સહિડાથી નેત્રયખૂણામાં ૧ માઈલ દૂર વાટેડા નામનું ગામ છે. જૈન મંદિરમાંથી મળી આવેલા સં. ૧૧૭૧ ના શિલાલેખથી આ ગામ એથીયે પ્રાચીન હોવાનું જણાય છે. આજે અહીં શ્રાવકનાં ૭ ઘરે છે. અગાઉ સં. ૧૯૦૩ માં ત્યારે અહીંના જૈન મંદિરની ફરી પ્રતિષ્ઠા થઈ ત્યારે ૮૦ શ્રાવકેનાં ઘરે હતાં. ધીમે ધીમે અહીંથી શ્રાવકેની વસ્તી ઘટતી જ રહી છે. અહીં એક બે માળને નાને ઉપાશ્રય છે. મળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી પ્રાચીન મંદિર વિદ્યમાન છે. મૂળનાયકના પરિકરની ગાદી ઉપર સં. ૧૧૭૧ ને લેખ આ પ્રમાણે છે – “સંવત ૧૭૭છ યુઢિ છ શ્રી...સઢ-ચય....છે(છે) . સંધી સોટીલુ....જીપુત્ર વાતિ માયા() સમન્વિતેન વીર નાથાતિના જરિતા » આ લેખ ઉપરથી જણાય છે કે પહેલાં આ મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન હતા પરંતુ જીર્ણોદ્ધાર સમયે એ જ પરિકરમાં શ્રી શાંતિનાથ ભગવાનની ભગવાનની મૂર્તિ પધરાવી છે. વળી, આ મંદિર સં. ૧૧૭૧ પહેલાં અને ગામ પણ એથીયે પ્રાચીન હોય એમ સ્પષ્ટ થાય છે. મૂળનાયકની સુંદર મૂર્તિ પણ પ્રાચીન પંચતીથીયુક્ત છે. આ મંદિરમાં આરસની ૩ અને ધાતુની ૨ મૂર્તિઓ છે. ધાતુની મૂર્તિઓ પૈકી એક પંચતીર્થી પર સં. ૧૩૯૬ અને બીજી પર ૧૪૯૦ ના લેખે ઉત્કીર્ણ છે. આ મંદિરને છેલ્લે દવા–દંડ સં. ૧૯૭૯માં ચડાવવામાં આવ્યું છે. ૧. “અબુદાચલ પ્રદક્ષિણ જેન લેખસંદહ”: લેખાંક : ૫૫૭ થી ૬૦૭. ૨. એજનઃ લેખકઃ ૬૯, ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy