SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ જૈન તીર્થ સર્વસંગ્રહ મૂર્તિ ખંડિત છે. આ મંદિરમાં ધાતુની મૂર્તિઓને પરિવાર ઠીક પ્રમાણમાં છે. તેના ઉપર સં. ૧૩૮૬ થી ૧૭૬૮ સુધીના લેખે મળે છે. તેમાં વાસા ગામના નિર્દેશવાળી બે પ્રતિમાઓ ઉપર સં. ૧૫૨૧ અને ૧૫૨૨ ના લેખે છે. આ મંદિરથી પૂર્વ દિશામાં જગદીશનું મંદિર આવેલું છે. તેને મૂળ ગભારે અને શિખર કાયમ છે જ્યારે સભામંડપને કેટલેક ભાગ અને મુખ્ય દરવાજો પડી ગયું છે. શિખર પર ખૂબ કેરણી કરેલી છે. મૂળગભારામાં પદ્માસન બનેલું છે ને દરવાજાના ઉત્તરંગામાં વચ્ચે મંગળમૂર્તિ તરીકે તીર્થકર ભગવાનની મૂર્તિ જોવાય છે. મંદિરની આખીયે રચના જેન શિલીને મળતી છે. એટલે આ મંદિર જેન મંદિર હતું, જેમાં હવે શિવલિંગ અને પાર્વતીની મૂર્તિ પધરાવી દીધી છે. લેકેના કહેવા મુજબ પાંચ-સાત વર્ષ પહેલાં જ્યારે અહીં બ્રાહ્મણનું જોર વધ્યું ત્યારે આ જૈન મંદિરને તેઓ પચાવી બેઠા અને બળજબરીથી શિવલિંગ વગેરે પધરાવી દીધું. આ મંદિર ગામના સૂર્યમંદિર જેટલું જ પ્રાચીન છે. શ્રીઓઝાજી કહે છે કે, “આ જૈન મંદિર હતું પરંતુ બ્રાહ્મણોએ તેમાં શિવલિંગની સ્થાપના કરી દીધી છે.” ૧૩૨. રોહિડા (કોઠા નંબર : ર૯૫૯-ર૯૬૧) હિડારેડ ( સર્પગંજ) સ્ટેશનથી અગ્નિ ખૂણામાં ૩ માઈલ દૂર હિડા નામનું ગામ છે. અહીં આવેલાં રાજેશ્વર' નામે શિવમંદિર અને બીજું રામચંદ્રજીનું મંદિર જે અસલ સૂર્યમંદિર હતું, તે બંનેમાંથી ધારાવર્ષદેવના સમયના શિલાલેખે મળી આવ્યા છે તે ઉપરથી આ ગામ ૧૨મા સૈકા કરતાંયે પ્રાચીન હોવાનું પુરવાર થાય છે. ગામની આસપાસ પડેલાં ખંડિયેર ઉપરથીયે આ ગામની અસલ આબાદીની પ્રતીતિ થઈ આવે છે. સ. ૧૫૭૧ માં હિડાનિવાસી શ્રેષ્ઠીઓ ભરાવેલી ધાતુમતિ આજે લેરલ ગામમાં વિદ્યમાન છે. આજે પણ અહીં જૈન શ્રાવકાનાં ૧૦૦ ઘરની વસ્તી છે. ૧ ઉપાશ્રય, ૧ ધર્મશાળા તેમજ ૩ જૈન મંદિર વિદ્યમાન છે. ૧. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના વિશાળ મંદિરને પાયે સં. ૧૯૫૦ માં નંખાયે હતું અને તેની પ્રતિષ્ઠા સં. ૧૯૫૮ ના મહા સુદિ ૧૩ ને જ થયેલી છે. મંદિરમાં મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શંગારચેકી, શિખર અને ભમતીના કેટયુક્ત ભવ્ય રચના છે. સભામંડપની બન્ને બાજુએ એકેક શિખરબંધી દેરાં છે. જમણી બાજુના દેરામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન અને ડાબી બાજુના દેરામાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાન છે. મૂળ મંદિરમાં ધાતુમૂર્તિઓને પરિવાર ઘણે છે. ચાંદીની મૂર્તિઓ પણ ઘણી છે. નવચોકીના એક ગોખલામાં શ્રીપદ્માવતી દેવીની મૂર્તિ છે. તેના ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ કેરેલી છે. મદિરની પાછળ ફૂ અને બગીચો છે. શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર બે માળનું છે. અહીંના રહીશ મૂતા રાયચંદ નથમલજીએ આ મંદિર બંધાવી સં. ૧૯૫૯ના મહા સુદિ ૫ ને રોજ તેની પ્રતિષ્ઠા કરી છે. મૂળગભારે, તેની બહાર મંડપ તરીકે ચોકી, ભમતી, કેટ અને શંગારકી યુક્ત આ મંદિર છે. તેના માળ ઉપર નાનું એવું આરસનું શિખર છે. નીચેના માળમાં મૂળનાયક સાથે આરસની ૬ મૂર્તિઓ છે. એક શ્યામવર્ણી આરસની દ્રિતીથીન પરિકરયુક્ત મૂર્તિની આસપાસ બે સુંદર કાઉસગિયા મૂર્તિઓ કેરેલી છે. આ મૂર્તિ અહીંથી ઈશાન ખૂણામાં ૩ માઈલ દૂર આવેલા “વાલેરિયા’ ગામની કેદારનાથની નદીમાંથી મળી આવી હતી. મંદિરમાં ચાંદીની મૂતિઓ પણ છે. મૂળનાયકની જમણી બાજુએ એક ૧. “ અબુદાચલ પ્રદક્ષિણે જૈન લેખસદેહ” લેખાંક : ૫૨૭ થી ૫૫૬. ૨. એજન : લેખાંક : ૫૪૦, ૫૫૧. ૩. “સિરોહી રાયકા ઇતિહાસમાં ૪. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદોહ” લેખાંક : ૧૯૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy