SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ કછોલી-વાસા ૨૫૭ લખેલા સં. ૧૮૩૪ના લેખથી જણાય છે કે, ગુજરાત અને મારવાડના શ્રાવક યાત્રીઓએ મળીને આ મંદિર અને માંડવાડાના મંદિરને ચુને વગેરે લગાવી સુશોભિત બનાવ્યાં હતાં. લાખ રૂપિયાથી પણ તૈયાર ન થઈ શકે એવા આ મંદિરને કરુણ અંત આવ્યું છે. મંદિરની આસપાસ પડેલાં મકાનનાં અવશેષે આ સ્થળે અગાઉ વસ્તી હોવાની પ્રતીતિ કરાવી રહ્યાં છે. ૧૩૦. કાછોલી (ઠા નંબર : ૨૯૫૬) રહિડારડ ( સર્પગંજ ) સ્ટેશનથી નયખૂણામાં ૩ માઈલ દૂર કછોલી નામનું ગામ છે. અહીંના જૈનમંદિરમાંથી મળી આવેલા સં. ૧૩૪૩ ના શિલાલેખમાં “કાલિકા” ગામને નિર્દેશ કરેલ હોવાથી આ ગામ સં. ૧૩૪૩ થીયે પ્રાચીન છે. કહે છે કે કચ્છના રાવે આ ગામ વસાવેલું તેથી આ ગામનું નામ “કાલી” પડ્યું. જેના પ્રસિદ્ધ “કાલીવાલ ગચ્છની ઉત્પત્તિ આ ગામમાં થયેલી છે અને તેથી એ સમયે જેને આબાદીસંપન્ન હશે એમ માની શકાય. આજે આ ગામમાં ૫૦ જૈન શ્રાવકેનાં ઘરે છે. ૨ ઉપાશ્રય અને ૧ કબૂતરખાનું પણ છે. અહીં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર પ્રાચીન અને ભવ્ય છે. મૂળનાયકના પરિકરની ગાદીમાં આ પ્રકારે લેખ છે:___"संवत् १३४३ वर्षे कछुलिकाश्रीपार्श्वनाथगोष्टि (ष्ठि)कश्रेष्टि(ष्ठि) सिरिपाल भा० सिरियादे पु० नरदेवपहा श्रे० बोडा भा० वीरी पु० श्रे० रारुद....महं देवसीह महं सलषा पु० गला श्रे० कर्मा भा० अणुपमदे पुत्र महं अजेसीहेन भ्रातृषीदा मोहणसहितेन श्रे० जगसीह पु०....च श्रे० धणसीह....[व]स्तुपाल श्र० पूनड पु० धीरा श्रे० साहड पु० विजेसीह श्रे० झांझण पु० रामसीह प्रभृतिगोष्ठिकसहितेन पितृमातृश्रेयसे श्रीपार्श्वनाथ श्रे० अ...परिकरहार[:] कारितः कछोलीगोत्र(त्रे) गुरूणामुपदेशेन॥" આ લેખથી આ મંદિર સં. ૧૩૪૩ ના સમયનું કે એ પહેલાંનું નક્કી થાય છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શૃંગારકી, શિખર અને કેટથી યુક્ત છે. મૂળનાયકની મૂર્તિ રમણીય છે. તેના પર એકતીથીનું સુંદર પરિકર છે. ૧૩૧. વાસા (કઠા નંબર : ૨૯૫૮) હિડારેડ (સર્પગંજ) સ્ટેશનથી અગ્નિખૂણામાં ૪ માઈલ દૂર વાસા નામનું ગામ છે. આ ગામમાં આવેલા સૂર્યનારાયણના વિશાળ મંદિરમાંથી સં. ૧૨૬૧ ને એક કૈ લેખ મળી આવ્યા છે. આ ઉપરથી આ ગામ તેથીયે પ્રાચીન હોવાની ખાતરી થાય છે. અહીં શ્રાવકેનાં ૪૫ ઘરે છે, ૧ ઉપાશ્રય અને ૧ ધર્મશાળા છે. અહીં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર બે માળનું છે. નીચેના માળમાં મૂળગભારે, સભામંડપ, તેને ફરતી ભમતી અને ભમતીમાં કુ તથા થેડા ભાગમાં મકાન છે. મૂળનાયક સાથે ત્રણ આરસની મૂર્તિઓ છે. જમણી બાજુની ભીંતમાં આરસના ૩ કાઉસગ્ગિયા છે. તેના ઉપર એક પરિકરના ઉપરનો ભાગ ચડે છે, જેમાં સુંદર ફણાવલી બનાવેલી છે. બહારના એક ગોખલામાં શ્યામ આરસના તેરણના ટુકડામાં ભગવાનની પદ્માસનસ્થ એક મૂતિ છે. ઉપરના માળમાં ચૌમુખજીની રચના છે. આરસની ચારે મૂર્તિઓ નાની છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy