SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ જૈન તીર્થ સર્વસંગ્રહ દેવસૂરિ હસ્તક સં. ૧૬૮૩ ના અષાડ વદિ ૪ ના રોજ કરવામાં આવી છે. એ સંબંધી આ મૂર્તિ ઉપર લેખ પણ છે. આ મૂર્તિ સિહીનિવાસી દોશી જોધાએ ભરાવી છે. ૩. શ્રીમનાથ ભગવાનના મંદિરથી આગળ જતાં જમણે હાથે પિળમાં આવેલા ધીરજનિવાસમાં શ્રી શાંતિનાથ ભગવાનનું ઘર-દેરાસર છે, જેની પ્રતિષ્ઠા સં. ૨૦૦૧ માં કરવામાં આવી છે. આ મંદિરથી આગળ જતાં એક ચબૂતરા ઉપર સં. ૧૭૦૩ ની સાલને સ્તુપ છે, તેની પાસે એક દરવાજે આવે છે. પગથિયાં ચડયા પછી એક શિખરબંધી મંદિર આવે છે જેનું મુખ્ય દ્વાર પશ્ચિમ તરફ છે. તેમાં મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાનની પંચતીથીને પરિકરવાળી એક જ પ્રતિમા પ્રતિષ્ઠિત છે. આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૫૩૪ના વૈશાખ સુદિ ૧૧ ના રોજ થઈ છે અને શાહ ખીમચંદ રાજીને આ મંદિર બંધાવ્યું છે. એને અંતિમ ધજા-દંડ સં. ૧૯૪૭ ના વૈશાખ સુદિ ૬ ના રોજ ચડાવવામાં આવ્યું છે. આગળ ચાલતાં શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર આવે છે. તેનું પ્રવેશદ્વાર ઉત્તર દિશામાં છે ને બે બાજુએ પાષાણુના ઊભા કરેલા બે મેટા હાથીઓ યાત્રીનું સ્વાગત કરી રહ્યા હોય એમ જણાય છે. મૂળનાયકની પંચતીર્થીના પરિકરવાની એક જ પ્રતિમા છે. તેના ઉપર સં. ૧૬૪૪ ના ફાગણ સુદિ ૨ ને પ્રતિષ્ઠાલેખ છે. આ મંદિર શેઠ કેસરીમલજી ચેધરીએ બંધાવ્યું છે. આખું વિશાળ મંદિર શિખરસમેત પથ્થરનું બનેલું છે. શ્રી ચિંતામણિ પાશ્વનાથની પ્રતિષ્ઠા સં. ૧૫૪૦ માં ભદ્રારક શ્રીહરિભદ્રસૂરિએ કરાવી છે. ગૂઢમંડપમાં એક આસન ઉપર શ્રીહીરવિજયસૂરિની ૩૬”x૧૮” ઈચની સુંદર મૃતિ બિરાજમાન છે. તેના ઉપર સં. ૧૬૫૯ ને લેખ છે. બીજી એક ચંદ્રસૂરિ આચાર્યની મૂર્તિ ૧૬”” ઈંચની છે. નવચોકીમાં બે મોટા સરખી આકૃતિના મનહર કાઉસગિયા સ્થાપના કરેલા છે. તે ૪ ફૂટ ૮”x૧૮” ઈંચ પ્રમાણના છે. આમાં ગર્ભદ્વાર મંડપ બે છે. એક પાછળની બાજુએ છે, તેમાં શ્રીશામળિયા પાર્શ્વનાથ ભગવાન છે. તેમાં પિત્તલને એક તીર્થ પટ્ટ ૧૩”x૧૩” ઈચને છે. તેના ઉપર સં. ૧૬૬૦ને લેખ છે. આની બીજી તરફ ધાતુની સપરિકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ ૨૬૧૭ ઇંચ પ્રમાણુની છે. આની દેવકુલિકાઓ ઉપર સં. ૧૫૫૦, ૧૫૨૧, ૧૫ર૭ ના લેખે વિદ્યમાન છે. સં. ૧૪૯૧ ના લેખવાળી શ્રીરત્નપ્રભસૂરિની એક નાની મૂર્તિ સુવિધિનાથ ભગવાનના ગભારામાં મૂળનાયકની જમણી બાજુએ સ્થાપના કરેલી છે. ઉપર્યુક્ત પ્રાચીન લેખે ઉપરથી સમજાય છે કે મૂળગભારામાં પ્રતિષ્ઠિત મૂળનાયકની મૂર્તિને કોઈ કારણસર ઉત્થાપન કરીને આ નવી મૂતિ તેની જગાએ સ્થાપન કરી લાગે છે. આ મંદિર પાસે આવેલા ડાબી બાજુના મકાનમાં ધાતુ અને પાષાણુની પ્રાચીન ખંડિત મૂતિઓ મૂકી રાખવામાં આવી છે. ૬. ઉપર્યુક્ત મંદિરથી આગળ જતાં સામે જ એક નાનું પણ શિખરબંધી મંદિર આવે છે. તેમાં મૂળનાયક શ્રીમલ્લિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. આ મંદિર નવું બંધાયું હોય એમ જણાય છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું મોટું મંદિર શિખરબંધી બાવન જિનાલયવાળું છે. આમાં પાંચ ગર્ભદ્વાર છે. આ મંદિર શિરેહી વસ્યું તે પહેલાં અર્થાત સં. ૧૪૨૪ ના કાતિક સુદિ ૧૫ ના રોજ દશા ઓશવાલ જ્ઞાતિના શેઠ રતનચંદ દેવચંદે બંધાવ્યું છે. મૂળનાયકની પ્રાચીન પ્રતિમા ઉપર બેસીને લેપ કરેલ છે. ગૂઢમંડપમાં એક બાજુએ શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ ઉપર સં૧૬૪૪ ને લેખ છે. તેની બાજુમાં શ્રીહીરવિજયસૂરિની મૂર્તિ ૨૮”x૧૬” ઈંચની છે. એનું શિલ્પવિધાન મનહર છે. બે સાધુઓ તેમની પડખે અને બે નીચે બેઠેલા જોવાય છે. તેના ઉપર સં. ૧૬૭૧ ને ઘસાયેલે લેખ છે. ચાકીમાં ત્રણ ચાવીશીની ૭૨ જિનમાતાઓને માટે પટ્ટ છે. બીજી તરફ શત્રુંજયને આરસપટ્ટ પણ છે. શ્રીમતિનાથના ગભારામાં એક ભોંયરું છે. તેમાં ધાતુની પંચતીથી આશરે ૧૦૦૦ ની સંખ્યામાં હશે. કેટલીક ઉપર તે ૧૨-૧૪ મા સૈકાના પ્રાચીન લેખે છે અને પાષાણ મૂર્તિઓ પણ છે. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy