SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ સિહી “ નગર સિરહો ઉત્તમ કામ, દેઉલ દીષ મહિમા ધામ; આદિ અજિત પ્રાસાદ ઉત્તગ, જીરાઉલ સપ્રેસ। મન રંગ. ઋષભદેવ ચૌમુખો ચોસાલ, દીપે દરસણ અમીઅ રસાલ; પ્રગટમલ્લ પારવાડહુ માંહિ, સઘવો સીપાચુ કહવાય. મહાપુરુષ મહાજલ નામ, તીરથ થાપ્યું અવિચલ ઠામ; સવત નેÛ સેાલિ વલી, સવ્રજ યાત્રા ક' નિ રૂલી. 13 પરંતુ આ અગાઉ સ. ૧૯૨૨ના ‘તી‘માળાકાર શ્રીમહિમા પંડિત અહીંનાં ૧૧ મદિરા અને તેમાંનાં કુલ ૪૦૭૧ બંબાની ગણતરી પણ નોંધે છે અને એ પછી શ્રીજ્ઞાનવિમલસૂરિએ કરેલી યાત્રાના વર્ણન મુજ»: સ. ૧૭૫૫ સુધીમાં અહી ૧૧ મદિરો જ હતાં. એટલે એ પછી જ લગભગ ૭ મંદિરની રચના થઈ હશે એમ માની શકાય. કેમકે આજે અહી કુલ ૧૮ જિનમ’શિ વિદ્યમાન છે. આ શહેરમાં અનેક આચાએ ચતુર્માસ સ્થિરતા કરી છે. મેટા માટા ઉત્સવેા થયા છે. આચાર્ય, વાચક, પન્યાસ વગેરે પઢવીપ્રદાના થયાં છે. અહીંથી કેટલાયે શ્રેષ્ઠીઓએ તીથ યાત્રાના સઘા કાઢવા છે અને કેટકેટલાયે ગ્રંથનું નિર્માણુ આ ભૂમિ ઉપર થયું છે. બીજી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનું આ ધામ બની ચૂકયું છે. શ્રીમેહ કવિએ અહીંના શ્રાવકાની વિવેકીપણાની જે છાપ આંકી છે આ પ્રવૃત્તિના પ્રમાણથી પુરવાર થાય છે. એ વિશેની બધી વિગત નોંધવાનું આ સ્થળ નથી છતાં એક એ હકીકતા અહીં ઉલ્લેખવા જેવી છે. જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિને સં. ૧૬૧૦ના માગશર સુદિ ૧૦ના રોજ આચાય પદ અહીં અપાયું હતું અનેસ. ૧૯૩૯માં સમ્રાટ અકબરને પ્રતિબેાધવા જતાં તે સિરોહી થઈને ગયા હતા. એ સમયે શ્રીવિજયસેનસૂરિએ અહીંના મહારાવને પ્રતિખાધ કરી પ્રભાવિત કર્યાં હતા. મતલખ કે, આ શહેર ઉપર પ્રાચીન સમયથી જૈનાચાર્યાએ કૃપાપ્રસાદ વરસાવ્યા હતા અને શ્રીહીરવિજયસૂરિ જેવા આચાર્ય પુંગવેએ આ સ્થળને પ્રભાવિત કર્યું હતું. એ પ્રભાવપરપરાએ અહીં લગભગ ૧૮ જેટલાં જિનમંદિરોની રચના આજ સુધીમાં થયેલી છે. આજે ૫૦૦ જેટલાં શ્રાવાનાં ઘરોમાં ૩ મોટા ઉપાશ્રયા, ૨વિશાળ ધર્મશાળાઓ, પાઠશાળાએ વગેરે સામાજિક સંસ્થાએથી આ શહેર જૈનપુરીનું સ્મરણ કરાવી રહ્યું છે. દેરશેરીમાં એક સાથે આવેલાં હારબંધી ૧૫ ભવ્ય મદિરાથી તે “ અડધા શત્રુજય ”નું માહાત્મ્ય પણ આ શહેર વરી ચૂક્યુ છે. એ મદિરાની વિગત ઉપર નજર ફેરવીએ. ૧. રાજમહેલ તરફ જતી સડક ઉપરથી જૈન મંદિરની શ્રેણિ શરૂ થાય છે અને એકી સાથે આવેલાં પંદર જિનમદિરાથી આ મહેલ્લે દેરાશેરી નામે મેળખાય છે. તેમાં પ્રથમ શ્રીઅચલગચ્છનું પ્રાચીન મંદિર આવે છે. આ મંદિર કયા મહાપુરુષે બંધાવ્યું એ જાણવાને કશુ સાધન નથી પરંતુ અગાઉ જણાવ્યા મુજબ સિરોહી વસ્યાના ૧૫૯ વર્ષો પહેલાં આ મંદિર અનવા માંડયું હતું. આ મ ંદિરમાંથી સ.. ૧૪૬૩, ૧૪૮૩, ૧૪૮૭ વગેરેના પ્રાચીન શિલાલેખ મળી આવે છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની પંચતીથીના પરિકરયુક્ત એક જ મૂર્તિ વિરાજમાન છે. એના ઉપર લેખ નથી. ભમતોમાં સ્થાપન કરેલી પંદર મૂર્તિઓ ઉપર સં. ૨૦૦૧ના વૈશાખ સુદ ૯ના રાજના પ્રતિષ્ઠાલેખા કારેલા છે. તેની સાથે સિદ્ધચક્રને પટ્ટ છત્રીમાં સ્થાપન કરેલા છે. મૂળનાયકની સન્મુખ સમવસરણમાં ચૌમુખની સ્થાપના કરેલી છે. ગૂઢમ’ડપ, રંગમંડપ, નવચેાકી અને ભમતીમાં પ્રતિમાના પરિવાર ઠીક પ્રમાણમાં છે. તેમાં વિવિધતાની દ્રષ્ટિએ નોંધવાયોગ્ય મૂર્તિ એમાં શ્રીગોતમસ્વામી, ચક્રેશ્વરી દેવી, શ્રીમણિભદ્ર, શ્રીમરુદેવી માતા, રાજિષ ભરત વગેરેની પાષાણુ પ્રતિમાઓ છે. મંદિરની સામે એક હાથીનું પાષાણુશિલ્પ નિર્માણ કરેલું છે. ભમતીની દેરીઓ પાસે જમણા હાથ તરફ આરસની દેરીમાં શિવલિંગ, પાતી અને નદિ વગેરે સ્થાપન કરેલાં છે. આ મંદિરના છેલ્લા સુવર્ણ દંડ-કળશ અને ધજા સ. હતાં. દેરાશેરીમાં જમણા હાથ તરફ એક પૌષધશાળા છે. તેમાં ૨૦૦૧ના વૈશાખ સુદ્ધિ ૬ના રોજ ચડાવવામાં આવ્યાં પ્રાય: યતિભટ્ટારક રહે છે. ૨. ઉપર્યુક્ત મંદિરથી આગળ વધતાં જમણા હાથે પૂદ્વારનું એક શિખરબધી મંદિર આવે છે. આ મ ંદિર શેઠ દેવજી રણછોડ શાહે બંધાવ્યું છે. આમાં મૂળનાયક શ્રીનેમિનાથ પ્રભુની એક માત્ર મૂર્તિ છે, જેની પ્રતિષ્ઠા શ્રીવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy