SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ આ ભવ્ય નંદીશ્વર ચૈત્ય કેણે ક્યારે બંધાવ્યું એ સંબંધી કઈ લેખ મળતું નથી. મંદિરના સભામંડપના સ્તંભ ઉપર સં. ૧૨૦૧ ના લેખમાં આ મંદિરને એક સ્તંભ કરાવ્યા સંબંધી ઉલ્લેખ છે – “સંવત ૨૦૬ માવા સુદ ૧૦ સોમ ને ! નવા પામ્યાં વુદું શોતિળિ થી ..... થાંમ ૨ ” આ લેખ ઉપરથી જણાય છે કે, સં. ૧૨૦૧માં આ મંદિરને જીર્ણોદ્ધાર થયે હશે તેથી મંદિર એ પહેલાંનું હોવું જોઈએ. આ મંદિરની ભમતીમાં એક વિલક્ષણ મૂર્તિ જોવાય છે. એ મૂર્તિ શ્રાવકની હશે કે યક્ષની તે સમજાતું નથી. એ યક્ષ કે શ્રાવક હાથી ઉપર આરૂઢ છે. બે હાથ પૈકી એમાં વરદાન ચિહ્ન અને બીજામાં કંઈક લાંબી વસ્તુ છે. માથે મુકુટ, ગળામાં હાર, હાથે બાજુબંધ અને શરીર પર ખેસ વગેરેની રચના કરેલી છે. ભમતીમાંથી દેવકુલિકાના દર્શને જવા માટે એક દરવાજો વટાવી ચેકમાં થઈને જવાય છે. આ એકના એક ખૂણામાં બાંધેલી મિટી ઓસરી છે. તેની નીચે ખાલી ભેંયરું છે. વળી શિખરબંધી ૪૨ દેરીઓ છે અને બાકીની દેરીએ ઘૂમટબંધી છે. આ મંદિરની પાસે એક દેરી છે. તેમાં પહાડના જ પથ્થરમાં એક પગલું અને તેની પાસે સપની લાંબી આકૃતિ કોતરેલી છે. લેકેનું માનવું છે કે, ભગવાન મહાવીર સ્વામીની ચંડકૌશિક દંશની ઘટના આ સ્થળે બની હતી, એથી જ આ આકૃતિ અહીં બનાવેલી છે. આ દંતકથા સાથે ભગવાનના આ પ્રદેશમાં આવવા સંબંધી સમન્વય ઇતિહાસવિજ્ઞોએ શેવ તે રહ્યો જ. આ દંશઘટનાની આકૃતિ ઉપર પ્રાચીન લિપિમાં ૭-૮ અક્ષરને એક લેખ પણ મોજુદ છે. એ જે ઉકેલાય તે આ આકૃતિ વિશે ઘટસ્ફોટ થાય એમ લાગે છે. ૨, બીજું મંદિર ગામમાં નવી થયેલી જૈન ધર્મશાળા પાસે આવેલા જૂના ઉપાશ્રયના એક ઓરડામાં ઘર-દેરાસર છે. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ છે. આ મૂર્તિ ચવરલી નામના ગામમાં પડેલા જૈન મંદિરના ખંડિયેરમાંથી સં. ૧૯૦૦ લગભગમાં લાવવામાં આવી છે. આ મંદિરમાં લગભગ ૭ મૂર્તિઓ છે તે બધીયે ત્યાંથી લાવ્યા હોવાનો સંભવ છે. એક નાની શ્રી પાર્શ્વનાથ ભગવાનની પંચતીથી ઉપર આ પ્રમાણે પ્રાચીન લેખ છે :– " धानेराग्रामे थारा० गच्छे श्रीपूर्वसूरिसंताने वोसिरिसोच्छिविभ्यां कारिता सं० १२१० फाल्गु] सुदि ११॥" બીજી ધામતિઓ ઉપર સં. ૧૫૨૧ પછીના લેખે છે. નાદિયા મારવાડની પંચતીથીમાંનું એક છે. ૧૨૩. ટાણું (ઠા નબર ૨૦૧૬) સજ્જન રોડ સ્ટેશનથી ૧૦ માઈલ અને બનાસ સ્ટેશનથી અગ્નિખૂણામાં ૬ માઈલ દૂર લેટાણા નામનું ગામ ટેકરીની ઓથમાં આવેલું છે. શિલાલેખોમાં આનું ‘લેટીપુર પટ્ટન’ અને ‘લેટાણુક' નામ નંધાયેલું છે. અહીંના જેને મંદિરમાં આવેલી એક કાઉસગિયા મતિ ઉપર સં. ૧૧૪૪ના લેખ છે, તેમાં “લેટાણુક ચૈત્ય ને ઉલ્લેખ કરે છે – "संवत ११४४ जेष्ट (ज्येष्ठ) वदि ४ श्रीत(निवृतककुले श्रीमदाम्रदेवाचार्यांयगच्छे लोटाणकचैत्ये प्राग्वाटवंशोद्भवयांयश्रेष्ठिसाहितेन आहिलश्रेष्ठिकि(कृ)तं आसदेवेन मोल्यः श्रीवीरवर्द्धमानसा(स्वामिप्रतिमा कारिता ॥" આ લેખ ઉપરથી લટાણુ ગામ અને અહીંના જૈનમંદિરની સં. ૧૧૪૪ પહેલાંની પ્રાચીનતા સ્પષ્ટ થાય છે. અહીં ૧ ધર્મશાળા અને ૧ જિનમંદિર છે. આ જિનમંદિર ગામથી ૨ ફર્લોગ દૂર પહાડની એથમાં પણ એક ટેકરી ઉપર આવેલું છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ, Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy