SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ જૈન તીર્થ સર્વસંગ્રહ હાથમાં પુસ્તક છે અને બીજો હાથ પેટ પર ખાલી રાખે છે. શરીર પર કપડે વીંટાળે છે. મસ્તક લેચ કરેલું છે. પાછળ ભામંડળને દેખાવ આપે છે. ગરદન પાછળ અને એક ખભે મુહપત્તિ છે. બંને બાજુએ બે સાધુઓ હાથ જોડી ઊભા છે અને બંને બાજુએ પાટની પાસે હાથ જોડીને બેઠેલા બે શ્રાવકે જોવાય છે. આચાર્યના પગ પાસે એક સાધુ હાથ જોડીને બેઠેલા છે. મૂર્તિની પાટ પર સં. ૧૨–ને લેખ અંકિત છે. હાથમાં પુસ્તકની પટ્ટી પર પણ અક્ષરોલેખ કતરેલો જોવાય છે. ભમતીમાં ૨૧મા નંબરની દેરીના ગભારામાં એક દરવાજા ઉપર છ ચકી અને મંડપ ઉપર ઘૂમટે છે, તેમાં સરસ્વતી દેવીની પ્રાચીન મનોહર મૂર્તિ શ્યામ આરસમાં ઊભી કતરેલી છે. તેની ઊંચાઈ–પહેલાઈ ૨૭ ૪૧૮ ઈંચની છે. મૂર્તિમાં વાહન કતરેલું નથી પણ જમણુ બે હાથમાં પુસ્તક અને માળા તેમજ ડાબા હાથમાં મેટું–નાનું પુષ્પ કતરેલું છે. મસ્તકે મુગટ પહેરાવે છે. આ મૂર્તિ નીચે સં. ૧૨૬૯ને લેખ આ પ્રમાણે છે: “सं० १२६९ वर्षे श्रीषंडेरकीयगच्छे मातृवील्हूश्रेयो) पुत्रपद्मसीह तत्(द)भातृसीहाकेन रत्नपालनायकसहितेन श्रीसरस्वति(ती)बिंब कारितं प्रतिष्ठितं श्रीशांतिसूरिभिः ॥ माघ वदि ३ शनौ ।। સં. ૧૨૬૯ના મહા વદિ ૩ ને શનિવારે શ્રીષ ડેરગચ્છના શ્રીપદ્મસીહ અને તેના ભાઈ સીહાએ, રત્નપાલ નાયકની સાથે, (પદ્મસીહ અને સીહડ)ની માતા વહૂના કલ્યાણ માટે શ્રી સરસ્વતીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી શાંતિસૂરિએ પ્રતિષ્ઠા કરી. આ સરસ્વતી દેવીના ચમત્કારની અનેક વાતે સંભળાય છે. દંતકથા છે કે, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ પાસેના માડેશ્વરના મંદિરની સરસ્વતી દેવીની મૂર્તિ સામે બેસી આરાધના કરવા લાગ્યા, પરંતુ સરસ્વતી પ્રસન્ન ન થયાં ત્યારે તેઓ અજારી તીર્થના ભગવાન મહાવીરસ્વામીના દર્શન માટે આવ્યા. ભગવાનને પ્રદક્ષિણા દેતાં જ તેમને સરસ્વતી પ્રત્યક્ષ થયાં ત્યારે શ્રી હેમચંદ્રસૂરિએ ભમતીના એક ગભારામાં શ્રી સરસ્વતી દેવીની સ્થાપના કરી. આ કથાને કશો એતિહાસિક આધાર મળતું નથી પરંતુ અહીં પ્રતિષ્ઠા કરનાર શ્રી શાંતિસૂરિનું નામ ઉપર્યુક્ત લેખમાં ઉલ્લેખ્યું છે. એટલે સંભવ છે કે, આ કથા શ્રી શાંતિસૂરિ સાથે સંબંધ ધરાવતી હોય અથવા શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી તૈયાર થયેલી આ મૂર્તિની શ્રી શાંતિસૂરિએ પ્રતિષ્ઠા કરી હોય. આ દેવીના દર્શન માટે અનેક લેકે આવે છે. કેટલાક વિદ્યાપ્રાપ્તિ માટે તે કેટલાક બોબડા-તેતડાને સરખો વાણીસંચાર થાય એ ખાતર આવે છે ને બાધા-માનતા રાખે છે. અહીં લગભગ ૫૦ ધાતુમતિઓને પરિવાર છે, ૧૦-૧૨ મૂર્તિઓ સિવાય બધી ઉપર ૧૧, ૧૨, ૧૩મી શતાબ્દીના લેખ જોવાય છે અને લેખ વિનાની મૂર્તિઓમાં એક–એને છોડીને બધી પ્રાચીન રચનાવાળી છે. સં. ૧૯૩૨માં આ મંદિરની ફરી પ્રતિષ્ઠા થતાં આ બધી મૂતિએ મંદિરના ભેંયરામાંથી મળી આવી હતી અને મળેલી મૂર્તિઓની સં. ૧૯૭૭થી પૂજા કરવાનું શરૂ થયેલું છે. મારવાડની નાની પંચતીથીમાં અજારી તીર્થ પણ ગણાય છે. ૧૨૨. નદિયા (કા નબર ર૦૧૩-૨૦૧૫) સજજનરેડ સ્ટેશનથી પાપ માઈલ દૂર નાંદિયા નામનું ગામ છે. આ ગામ પુરાતન છે. શિલાલેખે અને પ્રાચીન ગ્રંથમાં આનાં નંદિગ્રામ, નંદિવર્ધનપુર, નંદિપુર કે નાદિય એવાં નામે મળે છે. દંતકથા પ્રમાણે તે આ ગામ ભગવાન મહાવીરસ્વામીના મોટાભાઈ નંદિવર્ધન મહારાજાએ પિતાના નામ ઉપરથી વસાવ્યું એમ કહે છે. વળી, Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy