SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ A9$ નામે ગામ છે. ત્યાંથી દક્ષિણમાં ૩ માઇલ દૂર કુડઘાટ નામના પહાડ છે. પૂ. ભા. ૪. તીથભૂમિએ . લછવાઢથી દેઘડાની એક, કીટ્ટુશાની એ, સકસકીની એક-એમ ચાર પહાડીએ અને ખીજી ચકનાની ત્રણ પહાડીએ એમ કુલ સાત પહાડીએ મેળંગ્યા પછી કુંડલાઢની પહાડી આવે છે. કુડઘાટના ઉપરના મેદાનમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર છે. આને આપણે ક્ષત્રિયકુંડ એટલે લગવાન મહાવીરસ્વામીનું જન્મ સ્થળ માનીએ છીએ. કુડઘાટ પહાડની નજીક ‘ક્ષત્રીકુંડ' નામનું ગામડું છે પરંતુ પહાડી પ્રદેશમાં જવા-આવવાની વિકટતાને લીધે લછવાડમાં ક્ષત્રિયકુંડની તળેટી અને પેઢી રાખી છે. લખીસરાઈથી લછવાડે સુધી લગભગ પાકી સડક બાંધેલી છે. લછવાડમાં વિશાળ જૈન ધર્મશાળા અને તેમાં શ્રીમહાવીર ભગ વાનનું મંદિર અને કારખાનુ વગેરે છે. યાત્રાળુઓને હરેક પ્રકારની સગવડ મળે છે, ભગવાન મહાવીરનું આ મંદિર વિશાળ છે. તેમાંની વિવિધ પ્રકારની નકશીથી એ કળામય લાગે છે. ચાકના ચારે ખૂણે રહેલી ચાર દેરીઓમાં ચરણપાદુકા સ્થાપેલી છે. લવાડની ધર્મશાળામાં મુકામ કરીને ક્ષત્રિયકુંડની ચાત્રા કરવા જવાય છે. લછવાડથી કુડેશ્વાર્ટ સુધીના માર્ગ ગીચ ઝાડી હાવાને લીધે ભયાનક ભાસે છે, છતાં સૃષ્ટિસોદય થી ભરપૂર છે. માર્ગમાં આવતી એકની એક નદીને સાત વાર આળંગવી પડે છે. નદીનું પાણી મીઠું અને પાચક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy