________________
A9$
નામે ગામ છે. ત્યાંથી દક્ષિણમાં ૩ માઇલ દૂર કુડઘાટ નામના પહાડ છે.
પૂ. ભા. ૪. તીથભૂમિએ .
લછવાઢથી દેઘડાની એક, કીટ્ટુશાની એ, સકસકીની એક-એમ ચાર પહાડીએ અને ખીજી ચકનાની ત્રણ પહાડીએ એમ કુલ સાત પહાડીએ મેળંગ્યા પછી કુંડલાઢની પહાડી આવે છે. કુડઘાટના ઉપરના મેદાનમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર છે. આને આપણે ક્ષત્રિયકુંડ એટલે લગવાન મહાવીરસ્વામીનું જન્મ સ્થળ માનીએ છીએ.
કુડઘાટ પહાડની નજીક ‘ક્ષત્રીકુંડ' નામનું ગામડું છે પરંતુ પહાડી પ્રદેશમાં જવા-આવવાની વિકટતાને લીધે લછવાડમાં ક્ષત્રિયકુંડની તળેટી અને પેઢી રાખી છે. લખીસરાઈથી લછવાડે સુધી લગભગ પાકી સડક બાંધેલી છે. લછવાડમાં વિશાળ જૈન ધર્મશાળા અને તેમાં શ્રીમહાવીર ભગ વાનનું મંદિર અને કારખાનુ વગેરે છે. યાત્રાળુઓને હરેક પ્રકારની સગવડ મળે છે,
ભગવાન મહાવીરનું આ મંદિર વિશાળ છે. તેમાંની વિવિધ પ્રકારની નકશીથી એ કળામય લાગે છે. ચાકના ચારે ખૂણે રહેલી ચાર દેરીઓમાં ચરણપાદુકા સ્થાપેલી છે.
લવાડની ધર્મશાળામાં મુકામ કરીને ક્ષત્રિયકુંડની ચાત્રા કરવા જવાય છે. લછવાડથી કુડેશ્વાર્ટ સુધીના માર્ગ ગીચ ઝાડી હાવાને લીધે ભયાનક ભાસે છે, છતાં સૃષ્ટિસોદય થી ભરપૂર છે. માર્ગમાં આવતી એકની એક નદીને સાત વાર આળંગવી પડે છે. નદીનું પાણી મીઠું અને પાચક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org