________________
પૂ. ભા. જે તીર્થભૂમિએ છે કે આજે પણ જ્યારે અહીં ધેધમાર વરસાદ પડે છે ત્યારે ધાવાયેલી આ ભૂમિમાંથી કેટલીયે અમૂલ્ય પ્રાચીન વસ્તુઓ જડી આવે છે. અહીંથી કેટલાયે સિક્કા મળી આવ્યા છે. તેના ઉપર વત્સ-વાછરડાનું ચિહ્ન કેરાયેલું હોય છે. આ ચિહ્નમાં વત્સદેશને વાસ્તવિક સંકેત રહે છે.
૮. ગયા ગયા મેટું શહેર છે. અહીં વેતાંબર જૈનેની વસ્તી, મંદિર કે ધર્મશાળા વગેરે કંઈ જ નથી પરંતુ દિગંબર જેનેની વસ્તી છે. સ્ટેશનથી ૫ માઈલ દૂર ૨ દિગંબર જૈન ધર્મશાળાઓ છે તેમાં બે દિગંબર જૈન મંદિર છે.
ગયાસુરના નામ ઉપરથી આનું નામ “ગયા” પડયું છે. “ગયામાહાઓમાં એનું અદ્ભુત વર્ણન કરેલું છે.
અહીં હિંદુઓ ફન્ગ નદીને કાંઠે પિતૃઓનું શ્રાદ્ધ કરવા આવે છે, તેથી હિંદુઓનું આ મોટું તીર્થસ્થળ છે. ફલ્ગ નદીમાં પાણી નથી હોતું. કહેવાય છે કે સીતાના શાપથી એ ભેંયમાં જ રહે છે. એટલે રેતીમાં બેદીએ ત્યારે પાણી હાથ લાગે. અહીં યાત્રાળુઓની ભીડ હમેશાં જામેલી રહે છે અને ગયાવળા પંડાઓ તેમની વચ્ચે મનમાની દક્ષિણા પડાવવા ફરતા જોવાય છે. નદીના કિનારે ગદાધરનું સુંદર મંદિર આવેલું છે. શહેરમાં પણ હિંદુમંદિરે અનેક છે.
સં. ૧૭૫૦માં શ્રી સૌભાગ્યવિજયજી નામના યાત્રી પિતાની “તીર્થમાળા'માં ગયાનું વર્ણન આ રીતે કરે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org