________________
૧૬
ત્યારપછી એ વણસેલા કાર્ય ને હાથ ધરવું, પહેાંચી વળવું અને એને સાંગોપાંગ—સફળતાપૂર્વક પાર પાડવું એ ભારે મુશ્કેલ અને જવાખદારીવાળું કાર્ય હતું. આવી સ્થિતિ હેાવા છતાં એ કાર્ય ને પાર પાડવાનું અને સૌરાષ્ટ્રના જેનેાના ગૌરવનું જતન કરવાનુ ખીડું શેઠ શ્રી. પુરુષાત્તમદાસભાઈ એ ઉઠાવ્યું એ ખીના એમના પ્રત્યે ભારે સન્માન અને આદર ઉત્પન્ન કરે એવી છે.
૭૧ વર્ષ ની વૃદ્ધ ઉમ્મરે આ કાર્ય ને પહોંચી વળવામાં અને કોન્ફરન્સના પ્રચાર કરવામાં તેમણે જે મહેનત અને જહેમત ઉઠાવી છે તે ચિરસ્મરણીય બની રહેશે. અનેક શંકા કુશંકાના વાતાવરણ વચ્ચે પણુ કોન્ફરન્સના જૂનાગઢના અધિવેશનને સફળ અનાવવાનો યશ જેમના ફાળે જાય છે તેમાં કેન્સના સ્વાગતપ્રમુખ તરીકેનું સુકાન સાચવનાર શેઠ શ્રી. પુરુષાત્તમદાસ સુરચંદ વેારાનું નામ મોખરે તરી આવે છે. આ કાય તેમના જીવનની યશકલગી રૂપ બની ગયું છે.
શેઠશ્રીના આટલા પરિચય આપી શકાય તેટલી માહિતી અમને પૂરી પાડવા માટે અમે શેઠશ્રીનાં બધાં સેવાકાર્યોંમાં હમેશાં પ્રેરણા આપનાર શ્રીયુત માણેકલાલ નાનજીભાઈ ના આભાર માનીએ છીએ.
પેાતાની ઉમ્મરના વિચાર કર્યાં વગર, હમેશાં ધર્મ, સમાજ અને કેળવણી જેવાં સેવાકાર્યોંમાં પેાતાની શક્તિ અને લક્ષ્મીના સદુપયોગ કરનાર શેઠ શ્રી. પુરુષોત્તમભાઈ તંદુરસ્તીભર્યું દીર્ઘ આયુષ્ય ભાગવે અને પેાતાના જીવનને વિશેષ ઉજ્જવળ બનાવે એમ ઇચ્છીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
-પ્રકાશક
www.jainelibrary.org