________________
૧૨૮
પૂ. ભા. જે. તીર્થભૂમિએ રાજવંશને જૈન હોવાનું જણાવ્યું છે. આ રાજાઓમાં છે જે સુહરી ધ્વજ, ખરું નામ સુહિલવજ છે, તે મહમ્મદ ગજનવીને સમકાલીન હતા અને સબાર મસાઉને શત્રુ હતો.
રાજા સુહિલધ્વજ શ્રાવસ્તીના જેન રાજાઓમાં છેલ્લો હતું. તેણે ગેંડાથી પૂર્વ અને દક્ષિણ દિશાથી ૧૨ માઈલના અંતરે આવેલા “નરાવગંજ' આગળ થયેલી મોટી લડાઈમાં સાલારગંજને હાર આપી મારી નાખ્યા હતા. સુપિલબ્રજના ૪૦ વર્ષના રાજકાળ પછી અહીંના જેન રાજવંશને ઉછેદ થયે.
, તે પછી રાઠોડવંશના શ્રીચંદ્ર નામના રાજાએ એ થળમાં ઘુસી આવેલા થારૂ લોકોને હાંકી કાઢયા અને ઈ. સ. ૧૮૭રમાં રાજ્ય હસ્તગત કર્યું. રાજા ચંદ્રને પુત્ર સુહિલદલ હતા, જેણે મુસલમાનેને હરાવ્યા હતા. કહેવાય છે કે, આ સુહિલદલ જેનધર્મ પાળતા હતા, અને તેના વંશજો હોવાનું ગૌરવ લેતા કેટલાક માણસે આજે પણ સીમલા તલ્ફ વસે છે. સુહિલદલ પછી કનોજના સોમવંશી રાજા ચંદ્રદેવે સહેતમહેત જીતી લીધું હતું.
એ પછી આ નગરની પડતી થવા માંડી હશે એમ જણાય છે.
ભગવાન મહાવીર અને બુદ્ધના સમયે આ નગરીની સમૃદ્ધિ અનુપમ હતી. એ સમયે ઉત્તર ભારતમાં કેસલ, મગધ, વત્સ, વૃછ અને અવંતી–આ પાંચ મહાશક્તિશાળી
' ૩. વી. સી. બેનેટ નેટ કનેકટેડ વીથ સહેતમહેત ઈયિન એન્ટીકવેરી . ૨. પૃ. ૧૨, ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org