________________
પૂ. ભા. જે. તીર્થભૂમિ જોતજોતામાં મગધની રાજધાનીને છાજે એવી આ નગરીની વૈવિધ્યભરી રચના કરવામાં આવી. વર્ણનકારે કહે છે કે, ગંગા અને શેણ નદીના સંગમ ઉપર દક્ષિણ-પૂર્વ કિનારે પાઘડીપને આ નગર વસ્યું હતું. એની લંબાઈ છે કાસ અને પહેળાઈ બે કેસની હતી. શહેરને ફરતે વિશાળ કેટ હતું, તેને છસે બુરજ અને ચોસઠ દરવાજા હતા. કેટને પડખે બીજી ગંગા જેવી જબરી ખાઈ હતી. તે ચારસો હાથ પહોળી અને ત્રીશ હાથ ઊંડી હતી ને નદી તીરે ફળફૂલથી લચી પડેલાં મોટાં મોટાં ઉદ્યાને હતાં.
વિવિધ તીર્થકલપકાર કહે છે કે અહીં અન સંપત્તિ ધરાવતા કરોડપતિઓ વસતા હતા. ઉદાયી રાજાએ પોતાની હસ્તિશાળા, અશાળા, રથ શાળા, પ્રાસાદ, દાનશાળાઓ અને બજારાથી આ નગરને મનોહર અને સમૃદ્ધિવંતુ બનાવી મૂક્યું હતું.
એકલી સમૃદ્ધિથી કઈ પણ નગરની નામના થતી નથી. એની ભૂમિમાંથી સંસ્કારને પમરાટ ફેલાય નહીં ત્યાં સુધી કોઈનું આકર્ષણ પણ એ કરી શકતું નથી. આથી નાગરિકોએ આ નગરની ભૂમિ ઉપર પવિત્ર અને તેજસ્વી મહાત્માઓને પાદસંચાર કરાવ્યું, એની હકીકત અનુકૃતિઓમાં આલેખા ચેલી મળે છે. અનેક જૈન મંદિર અને પૌષધશાળાથી આ નગરી ધાર્મિક સંસ્કારનું કેન્દ્ર બની હતી.
અહીં જેન આગમેની પહેલવહેલી વાચના થઈ હતી. આ૦ સંભૂતિવિજયસૂરિએ આગમનું સંકલન કર્યું એમાં આ ભદ્રબાહુ સ્વામી અને યૂલિભદ્ર જેવા જ્ઞાની મહર્ષિઓએ સાથ આપ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org