________________
અવસૂરિ સહીત દાખલ કરેલ છે અને ત્યાર પછી તેને ગુજરાતી અથ (નાતિ વિસ્તરાર્થ) પણ આપવામાં આવ્યો છે. અવરિમાં કર્તા નું નામ આપવામાં આવેલું નથી. પ્રથમ કાવ્યમાળાના મા ગુરછકમાં આ પંચાશિકા સંસ્કૃત છાયા સાથે છપાયેલ છે. એની મહત્વતાને અનુભવ જે તેને સાર્ધત લક્ષ પૂર્વક વાંચે તેને જ થઈ શકે તેમ છે. તેની દરેક (એકેક) ગાથા મહત્વવાળી ને પ્રભાવવાળી છે. તેનું અહીં ફેટન કરવા જતાં પ્રસ્તાવના બહુ જ વધી પડે તેથી તેમ કરવામાં આવેલું નથી.
આ પંડિત પ્રથમ અન્યધમ છતાં જૈન ધર્મ પામ્યા પછી તેમાં એવા દઢ થયા હતા કે ધર્મના સંબંધમાં પિતાના આશ્રયદાતા દાજધુરધર જ રાજાની પણ તેણે દરકાર કરી નથી. ભેજરાજા શિવધમી હતા છતાં જે વખત તેણે ધનપાળને દેવપૂજા કરવા મેક
લ્યા ત્યારે રાજાની કાંઈપણ દાક્ષિણ્યતા ન ધરાવતાં ધનપાળ પંડિત સર્વ દેષ વિમુક્ત શ્રી શાંતિનાથજીની પૂજા કરીને રાજાએ ખુલાસે પૂછતાં શિવની પૂજા ન કરવાના કારણુમાં કહ્યું કેअकंठस्य कंठे कथं पुष्पमाला, विना नासिकायाः कथं गंधधूपः । अकर्णस्य कर्णे कथं गीतनादा, अपादस्य पादे कथं मे प्रणामः ।।
આવું સ્પષ્ટ બેલવું તે ખરેખર ધર્મ દઢ પુરૂષનું જ કામ છે.
આ પંચાશિકાની ઉપર મેરી ટીકા થયેલ હોય તે જ તેને ખરે રહસ્ય લભ્ય થઈ શકે તેવું છે કારણ કે ગીતાર્થ પુરૂષે તેને જેટલા રહસ્યને જાણું શકે તેટલા રહસ્યને સામાન્ય બુદ્ધિવાન્ જાણી શકે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org