SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ ઇચ્છાએ ચંપાનગરીમાં આવ્યો ત્યાં રસ્તામાં જ તેને શય્યભવાચાર્ય મળ્યા. વાતચિત કરતાં બંનેની ઓળખાણ થઈ. પૂર્વ સંસ્કારના સુયોગે આવા પરમોત્કૃષ્ટ સાધુજીવન પર મનકને ખૂબ પ્રેમ થયો. શયંભવાચાર્યે તેને ઉપદેશ આપે. આથી વૈરાગ્ય પામી તે મનકકુમારે પિતા પાસે દીક્ષા ગ્રહણ કરી. શર્યભવાચાયૅ જ્ઞાનબળથી “બાળદીક્ષિત મનકમુનિ ” નું આયુષ્ય જોયું, તો તેમને માલમ પડયું કે “મનક”નું આયુષ્ય માત્ર છ માસનું જ બાકી છે. માટે એટલા વખતમાં તેને સંક્ષેપમાં સૂત્રજ્ઞાન આપી આત્માનુભવ કરાવો, જેથી એને ઉદ્ધાર થાય; એમ વિચારી શય્યભવાચાયે ત્યાં દશવૈકાલિક સૂત્ર રચ્યું. આ વિષયમાં શ્રી. કે. દ. દેસાઈ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ” માં લખે છે કે – જંબુસ્વામીના શિષ્ય ક્ષત્રિય પ્રભવના બ્રાહ્મણ શિષ્ય શય્યભવસૂરિ (જન્મ વીરાત્ ૩૬ સ્વર્ગ વરાત ૯૮) થયા. તેમણે પોતાના પુત્ર શિષ્ય મનકમુનિ માટે ચૌદ પૂર્વમાંથી ઉદ્ધાર કરી દશવૈકાલિસૂત્ર રચ્યું હતું. (વીરાત્ ૭૨ માં લગભગ) વિકાલથી નિવૃત્ત તે વિકાલિક અને તેમાં દશ અધ્યયનો છે તેથી “દશવૈકાલિક.” મનકમુનિએ દશે અધ્યયન કંઠસ્થ કરી આત્માનુભવ કર્યો, સચારિત્રની સમશ્રેણિ પર કમાણ કરતાં છ માસમાં આ બાળમુનિ કાળ કરી સ્વર્ગે ગયા. શય્યભવાચાર્ય પર વર્ષનું એકંદર આયુષ્ય ભોગવી વરાત ૯૮ માં કાળધર્મ પામ્યા. ઓશવાળ તથા શ્રીમાળીઓની ઉત્પત્તિ. મહાવીરસ્વામીના નિર્વાણ પછી સિત્તેર વર્ષ બાદ શ્રી પાર્શ્વનાથ ભગવાને નના શાસનમાં છઠ્ઠીપાટે “શ્રી રત્નપ્રભ ” નામે આચાર્ય થયા. તેમણે “ઓસીયા ” નામની નગરીમાં ક્ષત્રિય જાતિને પ્રતિબોધ આપી શ્રાવકે બનાવ્યા. ત્યારે ઓશવાળાની સ્થાપના થઇ. અને “ શ્રીમાળ” નગરમાં શ્રીમાળીએની સ્થાપના થઈ, એમ શ્રી જૈનધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી બહાર પડેલ “જેન ઇતિહાસ ” નામક ગ્રંથમાંથી ઉલેખ મળી આવે છે. મહાવીર સ્વામીના સમયમાં પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનના “ સંતાનિયા ” સંતે વિચરતા હતા. તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આવેલા શ્રી પાર્શ્વનાથ શાસનના શ્રી કેશીસ્વામી અને પ્રભુવીરના શાસનના શ્રી ગૌતમસ્વામી એ બંને વચ્ચે વૃત, વસ્ત્રો આદિ બાબતમાં ચાલેલા સંવાદ પરથી સિદ્ધ થાય છે. આ ઉત્પત્તિ બાબતનો ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy