SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર પત્રિકા. સ્વ. શ્રી કપુરચંદ પાનાચંદ મહેતા–રાજકોટ. પ્રસ્તુત પ્રાચીન ઈતિહાસમાં પ્રાચીન મહાપુરુષોની પ્રશસ્તિ સાથે તેનાં અર્પણ અને આભારની એ બંને પ્રશસ્તિઓ પણ પ્રાચીન-સ્વર્ગસ્થ ઉદારચરિત સગૃહસ્થોની અપાય છે, એ પણ પ્રસ્તુત ગ્રંથરત્નને ઓછું શોભાસ્પદ નથી, એમ હું માનું છું. રાજકેટના શ્રાવકરત્ન સ્વ. શ્રી કપુરચંદ પાનાચંદના નામથી કાઠીયાવાડ ઉપરાંત ઈતર પ્રદેશના વર્ગ પણ સુપરિચિત હશે; અને જેઓએ પોતાની પ્રમાણિકતા, અને સત્ય વક્તત્વને લીધે ટુંક મુડીમાં શરૂ કરેલી રાજકોટની ઈમારતી લાકડાની પેઢી જાહેરજલાલી પૂર્વક હજુએ પ્રગતિ કરી રહી છે, તે પ્રતિષ્ઠા સંપન્ન વ્યક્તિની કારકીર્દિ સિવાય બીજું શું માની શકાય ? મનુષ્ય વ્યક્તિની કિંમત તેની થોડી શી સખાવત પર નથી; પરંતુ જેના જીવનમાં સાચી ધાર્મિકતા વ્યાપી ગઈ છે, જેણે જનસેવા, પ્રાણી સેવાને પિતાનું જીવનસૂત્ર માન્યું હોય છે; જગતની પ્રત્યેક વ્યકિત, સમાજ, મંડળ કે સભાની પાંગળી અવસ્થાએ જોઈ જેઓને તેમાં પિતાને પ્રાણ રેડી તેને સજીવ, ચેતનાત્મક બનાવવાનું અહોભાગ્ય સાંપડે છે, તેવાજ આત્માઓની જનતા મેગ્ય કદર કરે છે. શ્રી કપુરચંદભાઈની શરીર સ્થિતિ દુર્બળ, છતાં તેમણે વિધ વિધ ધાર્મિક સામાજિક ક્ષેત્રમાં જે પ્રશંસનીય કાર્ય કર્યું તે ખરેખર સ્મરણીય હતું; મૃત્યુની અંતિમ ઘડી સુધી પણ દરેક ધર્માદા સંસ્થાઓનું કાર્ય કાળજીપૂર્વક બજાવી આધુનિક ‘પ્રથમ દેહ અને પછી સેવા' એ કહેવતને ફેરવી “પ્રથમ સેવા અને પછી દેહ' એ અણુમૂલાં સૂત્રને તેમણે ચરિતાર્થ કર્યું હતું. ટુંકમાં તેઓઃ પાંજરાપોળના પ્રાણ હતા, જૈનશાળાનું જીવન હતા, સંઘના અનન્ય સેવક હતા, મુંગા પશુઓના માતાપિતા હતા, ભુખ્યા તરસ્યાંના ભાઈ હતા, ઉપરાંત અનેક સંસ્થાઓના તેઓ માનનીય અને સર્વાનુમતે સ્થાપિત કષાધ્યક્ષ ટેઝરર) હતા. તેમને ત્યાં રહેતાં સેંકડે , હજારો રૂપીઆના કડાને હિસાબ નિયમસર. સતત શ્રમ સેવીને પણ બહાર પડતે, આથીજ તેઓ સંધમાં શું, કે સમાજમાં શું ! સર્વત્ર પ્રિય થઈ પડયા હતા. વીસ વર્ષ સુધી આ કાર્ય હોંશપૂર્વક બજાવી રાજકોટનું આ રત્ન સંવત ૧૯૮૯ને મહા સુદી ૩ શનિવારે અસ્ત થયું; સારાયે સમાજને તેમની ભારે ખોટ પડી; પરંતુ કહેવત છે કે જેની અહિં જરૂર છે, તેની પરમાત્માના દરબારમાં પણ જરૂર છે ! આપણે તે માત્ર ગત પુરૂષની ઉજવળ જીવનરેખા પર બે શબ્દ લખ્યા સિવાય બીજું વધારે શું કરી શકીએ ! મૃત્યુ તે સૌને હોય છે, પણ જેઓ ધીર, વીર, ગુણજ્ઞ અને પુરૂષાર્થી આત્માઓ છે, તેઓ સદા જાગૃત હોય છે; કેણુ જાણે તેમને આગમચ ભવિષ્ય ભાસ્યું ન હોય તેમ શ્રીમાન કપ્રદચંદભાઈએ પોતાના મૃત્યુ અગાઉ બે વર્ષે પોતાની સ્થિતિ અને કરજ બતાવતે તેમજ પોતાના પછી સંધ વ્યવસ્થા, અને ધર્મવર્તનને નિર્દોષ કરતે એક પત્ર શ્રી સંઘ ઉપર અને બીજે તેમના કુટુંબ પર લખ્યું હતું, જે તેમના મૃત્યુ બાદ વંચાયે હતો ! આવા ઉદાર નિસ્વાર્થ સેવાભાવી, અને ધર્મપરાયણ પુરુષોના જીવનઇતિહાસ લખાઈ, સમાજ તેનું અનુકરણ કરવા પ્રેરાય, એ ભાવના સાથે આ મહા ગ્રંથમાં તેમનું નામ જોડી હું કૃતાર્થ થાઉં છું. - જીગ્નલાલ સંઘવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy