SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપરથી સિદ્ધ થાય છે કે ભગવાન મહાવીરના વખતમાં શ્રેણિક કુણિક, ચેટક, નવ મલિજાતિના રાજાઓ, નવ લછવી જાતિના રાજાઓ, ચંદ્રપ્રદ્યોત, ઉદાયન આદિ અનેક રાજાઓ અને કોડે શ્રાવકો જૈનધર્માનુયાયી હતા. કે જે શ્રાવકેની પાસે ઋદ્ધિ સમૃદ્ધિ પુષ્કળ હતી. હીરા, માણેક, મોતી, પન્ના, સોનું, રૂપું અને મહારબંધ નાણુ વગેરે તેઓની પાસે એટલું બધું હતું કે મહાન રાજાઓથી પણ તેઓ પરાભવ પામી શકે નહિ. તેમને ત્યાં હજારો બલકે લાખ ગાયે હતી. એ બધાનું તેઓ રક્ષણ કરતા; ધમ, નીતિ, પ્રમણિતા ઈત્યાદિમાં પણ તેઓ દ્રઢ અને ઉદાર ચરિત હતા. તેમની સમૃદ્ધિ અને ધર્મપ્રિયતા વિષે અધિકાર શ્રી ભગવતી સૂત્ર સ. ૨ ઉ. પ માં તથા શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં છે, જે વાંચવાથી વધારે જાણવાનું મળી શકશે. હાલ જૈનેની જે સંખ્યા કમી થઈ ગઈ છે, તેના કારણે દર્શાવતાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી લખે છે કે:-“હાલમાં જે પશ્ચિમના દેશે છે તે પૂર્વે આર્ય હતા. અને ત્યાં સુધી જૈન મુનિઓને પગ વિહાર પણ થતો, તેથી ત્યાં જેનેની વસ્તી દિનપ્રતિદિન વધતી જતી હતી. પણ પાછળથી શંકરાચાર્ય આદિ જૈનેતર મતાનુયાયી આચાર્યોનું જોર, અને વારંવાર લડાઈના હુમલા થવાથી, તેમજ જળને સ્થળે સ્થળ, અને સ્થળને સ્થળે જળ ફરી વળવાથી જૈન મુનિઓને પાદવિહાર બંધ પડશે, તેથી કાળ-કમે જે આર્ય જૈન પ્રજા હતી તે અનાર્ય થઈ, અને છેવટે જે આયે દેશ હતો તે અનાય થયે. આ કારણેથી જેની સંખ્યા ઘટવા પામી છે. ” આ ઉપરાંત સમયના ઘસારા સાથે જૈન પ્રજામાં શિથિલતા દાખલ થઈ. ઉદારતા ઘટી, સ્વધર્મની ભાવના ઉત્તરોત્તર લેપ થતી ગઈ, ધર્માભિમાનથી શક્તિશાળી જેને પરાળમુખ બનતા ગયા. સ્વાર્થ અને લોલુપતા વધી. કુસંપ પેઠે. પક્ષ, વેર, ઝેર અને મમત્વ જેનપ્રજામાં વધવાથી ઉત્તરોત્તર વિભાગો પડતા ગયા, અને પરિણામે જૈન પ્રજા અન્ય ધર્મનો આશ્રય લેતી થઈ, ખ્રીસ્તી આદિ અન્ય ધમીઓએ પોતાના ધર્માનુયાયીઓની વૃદ્ધિમાં ગૈરવ માન્યું અને મદદ કરવા લાગ્યા; ને સગવડીઓ ધર્મ પ્રિય થવા લાગે. એ રીતે ક્રમે ક્રમે જૈન ધર્મ પાળનારાઓની સંખ્યા ઘટતી ગઈ અને અત્યારે જે ચાલીસ કોડને ઠેકાણે ક્ષીણ થતી થતી ૧૨ લાખ પર જન સંખ્યા આવી ગઈ છે, તેના આધુનિક કારણેમાં આ મુખ્ય છે. પ્રાચીન ભારતવર્ષની જનોની જાહોજલાલી તથા સભ્યતા કયા પ્રકારની હતી તે આપણે આ સ્થળે વિચારવું બહુ અગત્યનું થઈ પડશે. આ સંબંધી અતિ ઉપગી અને વિચારણય ઉલ્લેખ ઘણું જ શેખેળ પછી શ્રી મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy