SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલ્યજ્ઞાન ઉપર્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવોને બંધ આપીતારી એક હજાર સાધુ સંઘાતે તેઓ ભલે પધાર્યા. પાંચમા સુમતિનાથ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી નેવું હજાર કોડી સાગરને આંતરે છઠા શ્રી પદ્મપ્રભુ તીર્થકર થયા. કોસંબી નગરીને વિષે, ઘરરાજા પિતા, સુસિમાદેવી રાણી માતાની કુંખે જમ્યા, ત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં સાડાસાત લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સાડી એકવીસ લાખ પૂર્વનું રાજ્ય પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી છઠે મહીને કૈવલ્યજ્ઞાન ઉપર્યું, કેવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવોને બોધ આપી તાર્યા અને છેવટે તૈતેર સાધુ સંઘાતે મેક્ષે પધાર્યા. છડા પદ્મપ્રભુ તીર્થકર મોક્ષ પધાર્યા પછી નવહાર કોડી સાગરને આંતરે સાતમા શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર થયા, વણારસી નગરીને વિષે, પઈઠ રાજા પિતા, પૃથ્વીદેવી રાણી માતાની કુંખે જમ્યા, વીસ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં પાંચ લાખ પૂર્વકુંવર પણે રહ્યા, ચૌદ લાખ પૂર્વનું રાજ્ય પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી નવ માસે કેવલ્યજ્ઞાન ઉપર્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણું ભવ્ય જીવોને સબોધ આપી, તારીને પાંચસે સાધુ સંઘાતે તેઓ નિર્વાણુ–મેક્ષ પધાર્યા. સાતમા સુપાર્શ્વનાથ તીર્થકર મેક્ષ પધાર્યા પછી નવસે કોડી સાગરને આંતરે આઠમા શ્રી ચંદ્રપ્રભુ તીર્થકર થયા. ચંદનપુરી નગરીને વિષે, મહાસેન રાજા પિતા, લક્ષ્મણદેવી રાણી માતાની કુંખે જમ્યા. દશ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં અઢી લાખ પૂર્વ કુંવર પણે રહ્યા, સાડાછ લાખ પૂર્વનું રાજ્ય પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવર્ચી લીધા પછી ઘણું ભવ્ય જીને બોધ આપી, તારી એક હજાર સાધુ સંઘાતે તેઓ નિર્વાણુ–મક્ષ પધાર્યા. આઠમા ચંદ્રપ્રભુ તીર્થકર મેક્ષ પધાર્યા પછી નેવું ક્રોડી સાગરને આંતરે નવમાં શ્રી સુવિધિનાથ તીર્થકર થયા. કાકડી નગરીને વિષે, સુગ્રીવ રાજા પિતા, રામાદેવી રાણી માતાની કુંખે જમ્યા, બે લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં અર્ધ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, અર્ધ લાખ પૂર્વનું રાજ્ય પાડ્યું. એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી–પ્રવર્યા લીધા પછી ચાર મહીને કૈવલ્યજ્ઞાન ઉપજયું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવોને સબધ આપી તારીને એક હજાર સાધુ સંઘાતે નિર્વાણ–મોક્ષ પધાર્યા. નવમા શ્રી સુવિધિનાથ તીર્થકર મેક્ષ પધાર્યા પછી નવ કોડી સાગરને આંતરે દશમા શ્રી શિતલનાથ તીર્થકર થયા. ભદિલ્લપુર નગરીને વિષે દઢરથ રાજા પિતા, નંદાદેવી રાણી માતાની કુંખે જમ્યા. એક લાખ પૂર્વનું આયુષ્ય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy