SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અતિબલ બલભદ્ર કીતિવીર્ય જલવાર્ય–તેમણે સુતરની જનેઈ કરી પહેરાવી હતી. ઉપરોક્ત વાત વિચારતાં વેદ તથા બ્રાહ્મણની ઉત્પત્તિ, આ પ્રમાણે ભરત મહારાજાના વખતથી થઈ છે. (વિશેષ ખુલાસા માટે વાંચે. દુનિયાને સૌથી પ્રાચીન ધર્મ ભાગ ૧ લે.) ભરતના પુત્ર સૂર્યયશાથી સૂર્યવંશની, અને બાહુબલીના પુત્ર, ચંદ્રયશાથી ચંદ્ર વંશની શરૂઆત થઈ છે. અને તે સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓ આજે પણ ભરતખંડમાં રાજ્ય કરતા માલુમ પડે છે. જૈનધર્મને ઈતિહાસ દષ્ટિથી જોવામાં આવે તો શ્રી ઇષભદેવના પુત્ર ભરતરાજાના વખતમાં ચાર વેદ બનેલા હતા અને તે ચારે વેદમાં જૈનતત્ત્વજ્ઞાનની વ્યાખ્યાઓ હતી. તે આઠમા ચંદ્રપ્રભુસ્વામી અને નવમાં શ્રી સુવિધિનાથ સ્વામીના વચલા સમયમાં વેદધર્મની કૃતિઓમાં, સૂત્રમાં, સંહિતાઓમાં, અસંયતિઓએ ઘાલમેલ કરી દીધી, તેથી વેદમાં પશુયજ્ઞ વગેરેની કૃતિઓને પ્રચાર થયે, ત્યારથી જેનો ચાર વેદને માનતા નથી. વિશેષમાં ભલામણ એજ છે કે-જેતસ્વાદમાં તથા અજ્ઞાન તિમિર ભાસ્કર ગ્રન્થમાં શ્રીમદ્ આત્મારામજી મહારાજે વેદની ઉત્પત્તિ સંબંધી જે ઇતિહાસ આપેલ છે તે વાંચવાથી વધુ ખાત્રી થશે. બીજા અજિતનાથ પ્રભુને સમય. પહેલા શ્રી ઇષભદેવ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી પચાસ લાખ ક્રોડ સાગર (એટલે અસંખ્યકાલ જેની સંખ્યા ગણવામાં ન આવે તેટલે કોલે-સાગર અને પલ્ય આવે ત્યાં અરાં કાલ સર્વ સ્થળે સમજ) ને આંતરે બીજા અજિતનાથ તીર્થકર અધ્યા નગરીને વિષે, જિત શત્રુરાજા પિતા, વિજયાદેવી માતાની કુખે ઉપન્યા. તેઓશ્રીનું બહેતર લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં અઢાર લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ત્રેપન લાખ પૂર્વનું રાજ્ય પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવજ્ય લીધા પછી બાર વર્ષે કૈવલ્ય જ્ઞાન ઉપર્યું. મહિમંડલમાં વિચરી ઘણું ભવ્ય જીને બોધ આપી (તારી) એક હજાર સાધુસંઘાતે મોક્ષ પધાર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy