SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ दर्शयन्वर्त्म वीराणां सुरासुर नमस्कृतः। नीति त्रयाणां कर्त्ता यो युगादौ प्रथमो जिनः ।। અર્થાત્ –કુલ આચરણ આદિના કારણભૂત કુલ શ્રેષ્ઠ સર્વથી પહેલાં વિમલવાહન, ત્યારબાદ ક્રમશઃ ચક્ષુમાન, યશસ્વી, અભીચન્દ્ર, પ્રસેનજિત, તથા નાભિરાય નામે કુલકર આ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયા, ત્યારબાદ મરૂદેવીને પેટે નાભિરાજાને પુત્ર, મોક્ષમાર્ગ દાખવનાર, સુર તથા અસુરાથી પૂજાએલા ત્રણે નીતિના વિધાતા પ્રથમ જિનેશ્વર-અષભનાથ સત્યુગના પ્રારંભમાં થયા. આ સિવાય જૈનધર્મના પ્રથમ તીર્થકર, ભગવાન ઋષભદેવજીને આઠમા અવતારી તરીકે દર્શાવી ભાગવતમાં ખૂબ વિસ્તાર પૂર્વક વર્ણન આપવામાં આવ્યું છે. વળી અગ્નિપુરાણમાં લખ્યું છે કે ऋषभो मरुदेव्याच, ऋषभाद् भरतोऽभवत् ॥ भरताभारतवर्ष भरतात्सुमतिस्त्वभूत ॥ અર્થાતુ-મરૂદેવીને ઉદરે રાષભનાથ અવતર્યા, અને ઇષભનાથથી ભરત રાજાને જન્મ થયે, ભરત રાજાનું આ ખંડ (દેશ)માં શાસન હોવાથી એનું નામ ભારત વર્ષ પડયું છે, ભરતથી સુમતિ અવતર્યા. આ પ્રમાણે ભગવાન રાષભનાથના પુત્ર ભરત ચક્રવતીના નામ ઉપરથી આ દેશનું નામ ભારત વર્ષ પડયું. એવું જૈન ગ્રન્થમાં પણ લખવામાં આવ્યું છે. તેને અગ્નિ પુરાણનું અનુમોદન મળે છે. શિવ પુરાણુની અનુમતિ છે કે – अर्हनिति च तन्नाम ध्येय पाप प्रणाशनम् ॥ भद्रभिश्चैव कर्तव्यं कार्य लोक सुखावहम् ॥ એટલે કે “અહન ” આ શુભ નામ પાપનાશક છે જગત સુખદાયક આ શુભ નામનું ઉચ્ચારણ તમારે પણ કરવું જોઈએ. સુજ્ઞ વાચક! તું ભાગવતના પાંચમા સ્કન્ધને વાંચી જવાની જરૂર તસ્દી લેજે. ઉપર રજુ કરેલા પ્રમાણેથી એટલું તો સુગમતાથી સિદ્ધ થાય છે કે સૃષ્ટિના પ્રારંભકાળમાં ભગવાન ઋષભનાથ થયા, અને તેઓ પહેલા જિન તીર્થકર હતા. તદનુસાર જૈનધર્મની સ્થાપના તે સમયે થઈ હતી તે સ્વત: સિદ્ધ થાય છે. આ કારણે ઉપરથી એમ સમજી શકાય છે કે જૈનધર્મનો ઉદયકાળ ભગવાન ઋષભનાથના જમાનામાં થયે. (આ ઉપરથી એટલું પણ સિદ્ધ થાય છે કે મનુભગવાનની પહેલા પણ જૈનધર્મ હતો.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy