SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૩ અજમેર સંમેલનની યાદગીરી. ભારતવર્ષના સ્થા જેન ઈતિહાસમાં અજમેરમાં મળેલું “ બૃહસાધુ સંમેલન” નું નામ સુવર્ણાક્ષરે ચિરસ્થાયી કોતરાઈ રહેશે. શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી પ્રથમ સંમેલન શ્રી પાટલીપુત્ર (પટણા ) માં મળેલું; ત્યાર પછી વીર સં. ૫૧૦ માં મથુરાનગરીમાં અને પછી વીર સં. ૯૮૦ માં કાઠિવાડમાં આવેલા વલલિપુર શહેરમાં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના નેતૃત્વ નીચે મળેલું હતું. આ પવિત્ર અને યાદગાર પ્રસંગે પછી લગભગ ૧૫૦૦ વર્ષે સમસ્ત હિંદના સ્થાનકવાસી જૈન સમાજના તમામ પેટા સંપ્રદાયના સાધુઓનું એક બહસંમેલન શ્રી છે. સ્થા. જૈન કોન્ફરન્સના કાર્યકર્તાઓ શ્રીમાન દુર્લભજી ત્રિભુવન ઝવેરી અને અનેક સેવાભાવી આગેવાનોને મહા પ્રયાસે અજમેરમાં મળ્યું હતું. જેમાં હિન્દ ભરના પ્રતાપી પૂજ્ય મુનિરાજે, અનેક વિદ્વાન અને જ્ઞાનસંપન્ન સાધુ મહાત્માઓએ જૈન શાસનદારના આ મહત્વના કાર્યને સફળ રીતે અપનાવી લેવામાં સંપૂર્ણ સાથ આપે હતો. તે વખતે ભારતભરમાં વિચરતા રથા. જૈન સમાજના મુનિવર્યોની જ્ઞાન, દર્શન ચારિત્રની વૃદ્ધિ આદિની વિચારણા અર્થ અને રીતસરનું વ્યવસ્થિત બંધારણ ઘડી કાઢવા માટે લગભગ ૨૩૮ ઉપરાંત વિચિલણ મુનિવરેએ હાજરી આપી. આ પ્રસંગને ઉજ્વળ બનાવ્યો હતે. આવા એક અતિહાસીક મહત્ત્વપૂર્ણ અને સમસ્ત જૈન સમાજને ઉન્નતિને માગે લઈ જનાર આ ધન્ય પ્રસંગે બહત સાધુ સંમેલનમાં મારવાડ, મેવાડ, રાજપુતાના, માળવા, પંજાબ, દક્ષિણ, કચ્છ, કાઠીયાવાડ, ઝાલાવાડ અને ગુજરાતના પ્રદેશમાંથી સેંકડે માઈલેના લાંબા વિહાર કરી અનેક મુનિવરે અજમેર મુકામે પધાર્યા બાદ સંવત ૧૯૮૯ ના ચૈત્ર સુદ ૧૦ ને બુધવારે પ્રથમ બેઠક મળી હતી. સંમેલની બેઠકનો પ્રારંભ પૂર્ણાહૂતિ તા. ૧૯-૪-૩૩ તા. ૫-૪-૩૩ ચૈત્ર સુદ ૧૦ ચૈત્ર વદ ૧૦ પ્રાતઃકાળે ૮ થી ૧૧ બપોરના ૧ થી ૪ હાજરી–અખિલ ભારતવર્ષીય સ્થાનકવાસી જૈન મુનિવરોના હાલમાં પૃથક પૃથક ૩૦ સંપ્રદાય છે તેમાં મુનિવરેની સંખ્યા ૪૬૩ અને આર્યાજી ( સાધ્વીએ ) ની સંખ્યા ૧૧૩૨ કુલ સંખ્યા ૧૫૯૫ ( એકલ વિહારીને બાદ કરતાં ) છે. તે પિકી સંમેલનમાં ૨૬ સંપ્રદાયના ૨૩૮ બસે આડત્રીસ મુનિએ અને ૪૦ આર્યાજીઓ ઉપસ્થિત થઈ શક્યા હતા. અને તેમાં ૭૬ ચુંટાયેલા પ્રતિનિધિઓએ આ પરિષદમાં ભાગ લીધો હતો. પ્રતિનિધિ મુનિવરેના નામે – ૧ પૂજ્યશ્રી મન્નાલાલજી મહારાજ - પૂ. શ્રી મન્નાલાલજી મ.નો સંપ્રદાય ) ૨ શ્રી ખૂબચન્દજી મ. ૩ પ્રસિદ્ધ વક્તા શ્રી ચેાથમલજી મ૦ ૪ શ્રી શેષમલજી મ. ૫ પૂજ્યશ્રી અમલખઋષિજી મ... - ( ઋષિ સંપ્રદાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy