SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ મનુષ્યોને વિશ્વવ્યાપી ધર્મના બહાના હેઠળ પોતાના કુલગત ધર્મની છાપ પાડી ભૂલાવો ખવડાવે છે. અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુબુદ્ધિ, અને અધર્મમાં ધર્મબુદ્ધિ મનાવે છે. તે વિપર્યાસ ભાવ હોવાથી, મિથ્યાત્વ કહેવાય છે. ભેળી જનતા તે મિથ્યાત્વમાં ફસાઈને અવળે માર્ગે ચડી જાય છે. અને સાચા દેવ, ગુરૂ, ધર્મથી ભ્રષ્ટ થાય છે. વળી સૂર્યનારાયણ જેવા આપણુ દેવ, અને પવિત્ર ગંગામાતાને પણ આ જૈન સેવા બીલકુલ માનતજ નથી. મહારાજા! જે વધારે વખત એ સેવડાની અહિં સ્થિરના થશે તો અનેક આત્માએ શુદ્ધ ધર્મથી ભ્રષ્ટ થઈ અર્ધગતિને પામશે. અમારા ધર્મબંધુઓનું અધઃપતન અટકાવવા માટે ચાંપતા ઉપાયો લઈ, અધમમાં પડતી ભોળી જનતાને સહાય આપ; એ અમારી નમ્ર અરજ છે. બ્રાહ્મણની અરજ ઉપર “રાણે સિંધીયા” નું ધ્યાન ખેંચાયું. અને બીજે દિવસે શ્રી રામચન્દ્રજી મને રાજ્ય સભામાં બેલાવવામાં આવ્યા. જેથી શ્રી રામચન્દ્રજી મહારાજે શ્રાવકો સાથે રાજ્ય સભામાં પ્રવેશ કર્યો. રાણાજીને મળ્યા, વિનયપૂર્વક સન્માન સચવાયું. ત્યારબાદ મુનિશ્રી અને રાણાજી એ બે વચ્ચે વાર્તાલાપ થયા. મહાદેવને, ગંગામાતાને તથા સૂર્યદેવને જેને માનતા નથી, એવી રીતે બ્રાહ્મણે કહે છે. પરંતુ જેનો માને છે કે નહિ ?” એ સંબંધની ચર્ચા કરતાં ભર સભામાં શ્રી રામચંદ્રજીએ કહ્યું -રાજન્ ! “ रागद्वेषोमहामल्लौ, दुर्जितौयेन निर्जितौ; महादेवं तु तं मन्ये, शेषावै नामधारका (૧) અર્થાત–દુઃખે કરી જીતવા ગ્ય એવા રાગ-દ્વેષરૂપ મહામલ્લ જેણે જિત્યા છે તે મહાદેવ કહેવાય છે. બાકીના તો નામ માત્ર ધારણ કરનારા મહાદેવ સમજવા, રાગદ્વેષ ટળતાં, સર્વ દોષ ટળ્યા કહેવાય છે, જેણે સર્વ દેવ ટાળ્યા એવા મહાદેવને જેને માને છે. પરન્તુ પાર્વતી સહિત બેઠેલા મહાદેવની સમક્ષ ભાંગના રગડા ઘુંટાતા હોય અને તેઓના નામે અનેક પાપ લેવાતાં હોય તેવા, માત્ર નામધારી મહાદેવને જેને માનતા નથી. પવિત્ર ગંગા માતાને જૈન મુનિઓ પગમાં ચોંટેલી રજથી પણ અપવિત્ર કરતા નથી. ગંગા નદીમાં પડીને કુદકા મારતા નથી અને શરીરના મેલથી પવિત્ર ગંગા માતાને મલિન બનાવતા નથી, એટલું જ નહિ, પણ શરીરના કેઈ પણ અંગોપાંગથી સ્પર્શ પણ કરતા નથી, અને કદાપિ કોઈ વખત થયે હોય તો, તેના પ્રાયશ્ચિત તરીકે ઉપવાસ કરી ક્ષમા યાચે છે. એમ જૈન સિદ્ધાન્તમાં કહેલ છે, પરંતુ આ સભામાં બેઠેલા, ગંગામાતાને માનનારા બ્રાહ્મણો એમ કહે છે કે અમે ગંગામાતાને પવિત્ર માની તેની પૂજા કરી મળ ધોઈ નાખીએ છીએ; પણ તે બધું બેલવા માત્ર છે. કારણ કે એક તરફ ગંગામાતાને પવિત્ર માની તેની પૂજા કરી કર્મમળને ધોવા ઉદ્યમ કરે છે. ત્યારે બીજી બાજુ વધારે કર્મમળના બંધને બંધાય એવાં આચરણ કરે છે. તે એ કે ગંગા નદીમાં કદકા મારી શરીરના મેલથી માતાને મલિન કરે છે. મળ, મૂત્ર પણ તેમાંજ કરે છે, અને અશચિ પણ ધ્રુવે છે. આવી રીતે અનેક પ્રકારે ગંગામાતાની આશાતના કરે છે, અને કહે છે કે અમે ગંગામાતાને પૂજીએ છીએ. આ તે ગંગામાતાની પૂજ કહેવાય કે આસાતના ! હવે આપ પોતે દીર્ધદષ્ટિથી વિચાર કરી આ સભામાં બેઠેલા બ્રાહ્મણે નથી માનતા કે જેનો નથી માનતા ? તેની તુલના કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy