SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ ૧ લીંબી માટે સંપ્રદાય ૬ બરવાળા સંપ્રદાય ૨ લીંબડી સંઘવી ઉપાશ્રયનો રાંપ્રદાય ૭ સાયલા સંપ્રદાય ૩ ગોંડલ મેટ સંપ્રદાય ૮ કચ્છ મોટી પક્ષ સં. ૪ ગાંડલ સંઘાણી ઉપાશ્રયન સં. ૫ બોટાદ સંપ્રદાય ૯ કચ્છ નાની પક્ષ સં. પૂજ્યશ્રી ધમદાસજી મ. ની પાટાનુપાટ:-- પુજ્ય શ્રી ધર્મદાસજી મ. ને સંવત ૧૭૨૧ ના માઘ શુદિ ૫ ને દિવસે ઉજજૈનમાં શ્રી સંઘે આચાર્યપદ આપ્યું હતું. ત્યાર બાદ પુજ્યશ્રી મૂળચંદજી મ. તેમની ગાદિ પર આવ્યા. તેઓ અમદાવાદના વતની દશા શ્રીમાળી વણિક હતા. અને માત્ર ૧૮ વર્ષની ઉંમરે શ્રીમાન ધર્મદાસજી મ. પાસે દીક્ષા લઈ અનેક શાસ્ત્રોને અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સં. ૧૭૬૪ માં પિરા શુદિ પુર્ણિમાએ અમદાવાદમાં શ્રી સંઘે મળી તેમને આસ્ટેડીયાના ઉપાશ્રયમાં આચાર્યપદ આપ્યું અને ત્યાંજ ગાદિ સ્થપાઈ. તેમણે ગુજરાતમાં ફરીને જેનધર્મને ખૂબ પ્રચાર કર્યો. તેઓશ્રીને ૭ શિષ્ય થયા. તેમના નામ – ૧ ગુલાબચંદજી મ. ૨ પચાણજી મ. ૩ વનાજી મ. ૪ ઈન્દ્રજી મ. ૫ વણારસી મ. ૬ વીઠલજી મ, ૭ ઈચ્છાછ મ. તેઓશ્રીએ મુનિશ્રી પચાણજી મ. ને આચાર્યપદે સ્થાપી સં. ૧૮૦૩ માં અમદાવાદ મધ્યે સંથાર કરી ૮૧ વર્ષની ઉંમરે કાળ કર્યો. - પૂજ્યશ્રી પચાણજી સ્વામી પાટે આવ્યા પછી સમુદાય સુધારણું ૩૨ બેલની પ્રરૂપણું કરી (તે ૩૨ બેલ ભવિષ્યમાં પૂજ્યશ્રી અજરામરજી સ્વામીએ કાયમ રાખ્યા. ) સંવત ૧૮૧૪માં તેમની પાટે શ્રી ઇચ્છા સ્વામી આવ્યા. તેઓ સિદ્ધ પુરના રહીશ, પરવાડ વણિક જ્ઞાતિના હતા. માતા વાલમબાઈ, પિતા જીવરાજ સંઘવી, તેમણે પોતાની બહેન ઈચ્છા સાથે સં. ૧૭૮૨માં દીક્ષા લીધી અને સં. ૧૭૮૨માં લીંબડીમાં સંથારે કરી સ્વર્ગે પધાર્યા. તેમની પાટે શ્રી કાનજીસ્વામી (મેટા) બિરાજ્યા. આ વખતે સાધુ-આચારમાં શિથિલતા આવેલી તે સુધારવા માટે પુ. અજરામરજી સ્વામીએ નિયમો ઘડેલા, પણ વડિલોને તે અરૂચિકર થવાથી એક સંપ્રદાયમાંથી સાત સંપ્રદાય ઉપસ્થિત થયા તે નીચે મુજબ છે – * આ સંબંધી ગોંડલ સં. મુનિશ્રી આંબાજીસ્વામી મહાવીર પછીના પુરૂષ” નામક પુસ્તકમાં લખે છે કે પૂ. શ્રી ઈછાજી સ્વામી જે વખતે અમદાવાદમાં ગાદી પર હતા, ત્યારે લીંબડીના શ્રાવકે એ તેમને લીંબડી પધારી ત્યાંજ ગાદી સ્થાપવા વિનંતિ કરી, તેથી તેઓ લીંબડી પધાર્યા અને ગાદી સ્થાપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy