SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ આ પાષાણુ સમજી ખાઇ બેસવું એ નરી મૂર્ખતા છે, માટે આ જન્મ સુધરી જાય તે માટે વિતરાગદેવનું સ્મરણ કરી અંતિમ જીવન સુધારી લે, જેથી જન્મ મરણના અનંત દુઃખાથી તરવાના સરળ રસ્તા વહેલાસર મળી આવે. જીવ અનંત કાળથી ખાતે પીતા આવ્યા છે, દેવતાઇ સુખસમૃદ્ધિ અનેકવાર ભાગવી છે; છતાં આ જીવાત્મા તૃપ્ત નથી થયા, તેા પછી પૌગલિક કાર્યને પોષવા ખાનપાનના ઉપયોગ કરી; નિયમભ્રષ્ટ બનવાથી જીવનનું શ્રેય થાય ખરૂં! માટે દઢ મનેાબળ રાખેા; આવેલ પરિષદ્ધને સહન કરો, અને પ્રમેાદભાવનાએ સચમનું રક્ષણ કરી પંડિત મરણે કરી જીવનને સુધારી લ્યે એ મારી તમને અંત સમયની ભલામણુ છે. પણ ખેદ સાથે કહેવું પડે છે કે તેની પૌલિક લાલસા એટલી બધી તીવ્ર બની હતી કે તે ગુરૂવર્ય ના વચનેાને માન્ય કરી શકયા નહિ; પણ તેણે એટલું તેા કહ્યું કે ગુરૂદેવ, હુ જૈનધર્મથી ભ્રષ્ટ નહિ થાઉં... એટલી ખાત્રી રાખો, પણ માત્ર મારે આ નિયમ હવે હું ઘડીભર નભાવી લેવા તૈયાર નથી. હું થાડું પાણી પીશ, ખારાક લઇશ અને પછી જૈનધર્મ ના કાનુના સરળ રીતે પાળીશ. ધર્મદાસજી મ. ખેદ પામ્યા. બીજો રસ્તા ન હતેા. શિષ્ય તા ઝડપભેર પથારીમાંથી ઉભા થયા અને ખારાકની શેાધ માટે ત્વરાએ બહાર નીકળી ગયા, આથી ધર્મદાસજીએ વિચાર્યુ કે શિષ્ય તેા બહાર ચાલ્યું ગયા, અને અનશનના જે સમાચાર જનતામાં ફેલાયા હતા, તે અનશનના ભંગ થયેલેા જાણવાથી લેાકેા જૈનધર્મની નિંદા કરશે, માટે શાસનના હિતને અર્થે મારે તેની જગ્યા સંભાળવી જોઈએ. એમ વિચારી તેમણે પાતે સ્વયં ત્યાં સથા જાહેર કરી ભવ્ય પ્રાણીઓને ઉપદેશ આપવા શરૂ કર્યા. પૂજ્યશ્રીના આ સંથારાની ખખર જોતજોતામાં ચારે દિશાએ પ્રસરી ગઇ, તેથી ઘણા ગામના શ્રાવકે ત્યાં આવી પહોંચ્યા તેમનું શરીર લગભગ કૃશ થઈ ગયું હતું, માર્ગમાં પડેલા તૃષાના પરિષહે તેમની મુખાકૃતિ પર નિર્બળતાનાં ચિન્હા છવાયાં હતાં. ખરાખર સાતમે દિવસે પૂજ્યશ્રીની આંખેા લાલચેાળ બની ગઇ. સર્વાંગે સખ્ત ગરમાઇએ જોર કર્યું. તે પણ ઉપદેશધારા તે અસ્ખલિત ચાલુ હતી. સાતમા દિવસના અંતિમ વ્યાખ્યાન પછી પુજ્યશ્રીનું શરીર એકદમ શિથિલ બની ગયું. સર્વ જીવાની હૃદયગત ક્ષમાપના યાચી વિક્રમ સ. ૧૭પ૯ ના આષાડે શુકલપંચમીએ સાંજના સાડાપાંચ વાગ્યે પ૯ વર્ષનું આયુષ્ય ભાગવી તેઓશ્રી આ ફાની દુનિયાના ત્યાગ કરી ગયા. જય હૈા એ સમર્થ ઉદ્ધારક મહાત્માના !* પૂ. ધર્મદાસજી મ. ના ટેાળામાં હાલ વિચરતા પ, શ્રી સૌભાગ્યમલજી મ. લખે છે કેઃ—એક યાગ વિદ્વાન આચાર્યને એક વખત એવા ભાસ થયા હતા કે, પૂજ્યશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy