SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા સુધારક શ્રીમાન ધર્મદાસજી મહારાજનું જીવન વૃતાન્ત. ગુજરાતનું પાટનગર અમદાવાદ શહેર એક સુપ્રસિદ્ધ શહેર છે. શ્રીમાન લોકાશાહને જીવન વિકાસ સાધનારૂં, લંકાગચ્છના અગ્રધામ સમું, શ્રીમદ્ ધર્મસિહજી અને લવજીત્રષિ જેવા સમર્થ પુરૂષને અજબ પ્રેરણા આપનારું એ અમદાવાદથી માત્ર ચાર કેશ દૂર આવેલા સરખેજ ગામમાં આપણું ચરિત્ર નાયક પાંચમાં સુધારક શ્રીમાન ધર્મદાસજી મ. નો જન્મ થયો હતો. અઢારમાં સૈકાનું પ્રભાત એ ભગવાન મહાવીરના સાચા વંશજેને માટે ભાગ્યોદય સમું હતું. એક તરફ શ્રીમાન્ ધર્મસિંહજી મુનિ જૈન સમાજની ભૂતકાળની જાહોજલાલી પુન: દશ્યમાન કરવા ભગીરથ પ્રયત્ન સેવી રહ્યા હતા, તે જ અરસામાં એટલે સં. ૧૭૦૧ માં આ મહાત્માને જન્મ થયો હતે. તે વખતે સરખેજમાં રંગારી ( ભાવસાર )ના ૭૦૦ ઘરે હતા. જેઓ લેંકાગચ્છીય જૈનધર્મને અનુસરતા. તે સર્વેમાં વધુ ધર્મચુસ્ત અને વધુ સુખી શ્રી જીવણલાલ કાળીદાસ નામના ગૃહસ્થ હતા. તેમને ડાહીબાઈ નામની ધર્મપત્ની હતી. ઉભય દંપતી સુખી, પરોપકારી અને નીતિજ્ઞ જીવન ગાળી સંત સેવામાં સમય વીતાવી જીવનનું અહોભાગ્ય માનતા. આ સંસ્કારી દંપતીને ત્યાંજ ધમદાસજીને જન્મ થયે હતે. ગર્ભમાં આવતાં માતાપિતાની ધાર્મિક ભાવનાઓ વધુ પ્રબળ થઈ તેથી તેમનું નામ ધર્મદાસ” પાડવામાં આવ્યું. સુસંસ્કારના બે ધીરે ધીરે “ધર્મદાસ આઠ વર્ષના થયા, તેટલા વખતમાં તે તેમનું હૃદય લગભગ ધર્મભાવનાઓથી રંગાઈ ગયેલું સોને લાગતું હતું. તેજ અરસામાં શ્રી કેશવજી પક્ષના લંકાગાછીય યતિ શ્રી પૂજ્ય તેજસિંહજી સરખેજમાં પધાર્યા, તેમનું વ્યાખ્યાન સાંભળવા ધર્મદાસજી પણ ગયા. તેમને ધર્મને રંગ લાગ્યો. પછી તો તે રેજ યતિશ્રીને સહવાસ કરવા લાગ્યા, પરિણામે તેમણે સામાયક, પ્રતિક્રમણ, નવતત્વ, જીવ વિચાર આદિ જૈનધર્મનું જ્ઞાન મેળવી લીધું. આથી તેમની જીજ્ઞાસા જૈનતત્ત્વજ્ઞાન મેળવવા જાગ્રત થઇ, તેથી તેઓ સતતું જ્ઞાન પ્રાપ્ત કરવાના કાર્યમાં જ ગુંથાયા. અને પંદર વર્ષની ઉંમર થતાં સુધીમાં તો તેમણે અનેક સૂત્રસિદ્ધાંતોનું જ્ઞાન મેળવી લીધું. સૂત્રોમાંના રહસ્ય, ભ. મહાવીર પ્રભુત ઉત્તમ બેધ આદિ આશ્ચર્યજનક ઘટનાઓ વાંચતાં શ્રીમાન્ ધર્મદાસના જીવનનું પરિવર્તન થયું, તેમને વૈરાગ્યભાવ પ્રગટ. જ્યારે તેમના સગપણ સંબંધી વાતો આવવા લાગી, ત્યારે તેમણે પિતાના પિતાને સાફ સાફ કહી દીધું કે હું બીલકુલ પરણવા ઈચ્છતો નથી. સંસારની વાસના આત્માને મલિન કરી દુર્ગતિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy