SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ તેઓ પાંચમની સંવત્સરી તેને કહેવા લાગ્યા કે અનાદિ કાળથી ચોથની પર્યુષણ ચાલે છે. તીર્થકરો તથા ગણધર પણ ચેકની સંવત્સરી કરતા; માટે તે શાશ્વતી છે. આમ તેમણે આગમના પ્રતિપક્ષ બની, જેન માર્ગનો પ્રવાહ અવળી દિશાએ વાળે. તેમ છતાં પણ તે કાળે જુજ ભાગ વસતીવાસી સંવેગી મુનિઓને હતા, જેઓ આગમાનુસાર સઘળી પ્રવૃત્તિઓ કરતા અને પંચમીને આરાધતા. એ ભાગ માંહેના શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વીરાત્ ૯૮૦માં જૈન સિદ્ધાંતોને પુસ્તકારૂઢ કર્યા, તે વખતે વસ્તીવાસી સંવેગી મુનિ મંડળોમાંના શ્રી કાલિકાચાર્ય તેમના મુખ્ય સહાયક હતા. જેથી તેઓ યુગ પ્રધાન ગણાયા છે. એ કાલિકાચાર્ય પાંચમની જ સંવત્સરી કરતા અને તેઓએ એક વેળા પઈઠાણપુરમાં પ્રવેશતા ઉચ્ચાર્યું હતું કે –“મવા સુર પંચમી પનોત્તર ” ભાદરવા શુદિ પંચમીની પયુંષણ કરવી. આ પ્રમાણે તેઓ પંચ મીની પ્રરૂપણ કરતા. પણ તેવામાં શાલિવાહનરૂપ ઉપનામ ધરાવનાર કોઈ રાજાના (નહિ કે શક ચલાવનાર શાલિવાહન) આગ્રહથી શ્રી કાલિકાચાયે વીર સં. ૯æમાં ચાથની પર્યુષણા કરી, વીરાત ૧૦૦૦ વર્ષે શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ દેવગત થતાં કાળપ્રભાવે શિથિલાચાર વધી જવાથી વસતી વાસ (સ્થીર કપીને સિદ્ધાન્તાનુસાર આચાર) લુપ્ત થશે અને ચૈત્ય વાસરુપ અંધકાર ફેલાવા લાગ્યા. અઘોર અંધકારમાં રહીને પણ વચ્ચે વચ્ચે કેટલાક મહાનુભાવ પુરુષોએ ચૈત્યવાસને સ્થાને વસતીવાસ ( Wવીર કપ )નો પક્ષ ખેંચી સત્યની ઘોષણા કરી હતી, પરંતુ આચરણ તે ચાલતી આવેલી પ્રણાલિકા મુજબનું જ રહ્યું હતું. કારણ કે આખા સમૂહમાં વિરોધ ઉપજાવી જુદી પ્રવૃત્તિ કરવી એ ઘણી વિષમ વસ્તુ હતી. એ તો કયારે થઈ શકે કે જ્યારે પૂબ આત્મબળ, શ્રદ્ધા, હિંમત અને સહન શીલતા હોય તે જ. દાખલા તરીકે શ્રી હરિભદ્રસૂરિએ મહા નિશિથ સૂત્રને ઉદ્ધાર કરતાં “ચૈત્યવાસ ને સજજડ રીતે ખંખેર્યો છે. છતાં પિતે ચૈત્યવાસ છેડી શક્યા ન હતા, તેથી જ તેઓ સંવેગપક્ષી કહેવાયા. વળી મહાત્મા ચૂણિકાર મહારાજે પણ આગમ પક્ષ–સત્ય સિદ્ધાંતને મોખરે રાખી ચતુથીની પર્યુષણુ કરતા છતાં પણ ચિત્યવાસીઓની જેમ દુરાગ્રહ ન રાખતા “ પંચમી ” ને અખંડિત રાખી. આમ હૃદય ધ્વનિ છતાં સંચગવશાત તેને કાર્ય રૂપમાં મૂકતાં ઘણીવાર મુશ્કેલી નડે છે. તે પણ આ સત્યના એકરાર માટે તો આ બંને મહાત્માઓ ખરેખર પ્રશસનીય કહી શકાય. આ રીતે ચિત્યવાસ રૂપ પડદાના અંધારા નીચે ઘણે કાળ વ્યતીત થયો. તે દરમ્યાન ચતુર્થીની જડ મજબુત થતી ચાલી. એવામાં કાળાનુક્રમે વિક્રમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy