SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ આ તરફ અભ્યાસ કરતાં ઘણે વખત વ્યતિત થવાથી, તેની માતા રૂદ્રસમાએ આરક્ષિતને ઘેર લાવી લાવવા માટે તેના બીજા પુત્ર ફાળુનરક્ષિતને આચાર્ય પાસે મોકલ્યા. પરંતુ તે ફાગુનરક્ષિતે પણ ગુરૂદેવને બોધ સાંભળી ત્યાં દીક્ષા લીધી. છેવટે આર્યરક્ષિત અભ્યાસ કરતાં કંટાળી ગયા ત્યારે તેમણે વાસ્વામીને કહ્યું –સ્વામિન્ ! હવે બીજી વખતે આવીને બાકીનો અભ્યાસ પૂર્ણ કરીશ. માટે મને અહિંથી અન્ય સ્થળે વિચારવાની આજ્ઞા આપી અનુગ્રહ કરો. આ સાંભળી વાસ્વામીએ જ્ઞાન બળથી જોયું તો તેમણે જાણ્યું કે હવે મારું આયુષ્ય પણ થોડું છે, અને આ આર્યરક્ષિત સાડાનવ પૂર્વથી વધુ જ્ઞાન ગ્રહણ કરી શકે તેમ નથી. તેથી તેમણે આર્યરક્ષિતને જવાની આજ્ઞા આપી. પછી આર્યરક્ષિત મહારાજ ત્યાંથી વિહાર કરી દશપુરમાં આવ્યા, અને પિતાની માતાને મળ્યા. માતા પુત્રને જ્ઞાનસંપન્ન જઈ સંતોષ પામ્યા. ત્યારપછી શ્રી આર્ય રક્ષિતે પોતાના માતાપિતાને પ્રતિબંધ આપી વૈરાગ્યવાન બનાવ્યા. આથી તેમના માતાપિતાએ દીક્ષા ગ્રહણ કરી અને શુદ્ધ સંયમ પાળી આત્મકલ્યાણ સાધ્યું. તે સમયે તે ગ૭માં ધૃતપુષ્પમિત્ર, વસ્ત્રપુષ્પમિત્ર, અને દુર્બલિકા પુષ્પમિત્ર એ નામના ત્રણ મુનિરાજે શાસ્ત્રના પારગામી હતા. ધૃતપુષ્પમિત્રને ધૃતની, વસ્ત્રપુષ્પમિત્રને વસ્ત્રની, અને દુર્બલિકા પુષ્પમિત્રને “દુર્બળતાની લબ્ધિ પ્રાપ્ત થઈ હતી; એટલે દુબલિકાપુષ્પ ધૃત, દૂધ આદિ અનેક પૌષ્ટિક પદાર્થો ગ્રહણ કરતા હતા, છતાં તેમને અભ્યાસનો શ્રમ એટલે બધે હતો કે તેઓ સદાય દુર્બળ રહ્યા કરતા હતા. તે ઉપરાંત આર્યરક્ષિત મહારાજના ગચ્છમાં વિંધ્યફાગુનરક્ષિત, ગેછા માહિલ આદિ વિદ્વાન મુનિવરો હતા. શ્રી આર્ય રક્ષિત મહારાજે જ્ઞાન બળથી જોયું કે હવે મનુષ્યની બુદ્ધિ ક્રમે ક્રમે ઘટતી જાય છે, તેથી તેમણે રાશી આગમમાંથી ચાર પ્રકારના અનુયોગે સ્થાપ્યા. અંગ, ઉપાંગ, મૂળ અને છેદ સૂત્રને ચરણ કરણનુયોગમાં દાખલ કર્યા ઉત્તરાધ્યયન આદિ સૂત્રોને ધર્મકથાનુગમાં દાખલ કર્યા, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રને ગણિતાનુગમાં અને દૃષ્ટિવાદને દ્રવ્યાનુયોગમાં દાખલ કર્યા. આર્ય રક્ષિત મહારાજે પોતાની પાટ પર “દુર્બલિકા પુષ્પમિત્ર” સાધુને આચાર્ય તરીકે સ્થાપ્યા; પરંતુ ગેછામાહિલ નામક સાધુને એની ઈર્ષ્યા આવી. તેથી તેઓ તે ગચ્છથી વિપરીત રીતે વર્તવા લાગ્યા. અને તે “સાતમા નિન્હવ” તરીકે પ્રસિદ્ધ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy