SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ એક બિલાડીનું એંધાણ (નિશાન ) ખરું પડયું નહિ. ત્યારે ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે તે અર્ગલા પર બિલાડીનું ચિન્હ છે. પછી વરાહમિહિરે તે બાબતની ખાત્રી કરી. જેથી જેનધર્મની અને ભદ્રબાહુ સ્વામીની પ્રશંસા વધી. ત્યાંથી ભદ્રબાહુ સ્વામી અને સર્વ લોક પોતપોતાને સ્થાને ગયા. ત્યારબાદ વરાહમિહિરે મનમાં ઈષ્યો લાવીને તાપસી દીક્ષા લીધી અને અજ્ઞાન તપ કરીને છેવટે તે વ્યંતર દેવ થયા. તેથી તે શ્રાવકેને રેગાદિકને ઉપદ્રવ આપવા લાગ્યો ત્યારે તેના નિવારણાર્થે શ્રી ભદ્રબાહુ સ્વામીએ “ઉવસગ્ગહરં સ્તોત્ર રચ્યું અને શાંતિ પ્રસરાવી. તે સ્તોત્ર અદ્યાપિ “સર્વ ઉપદ્રવને હરનાર” તરીકે પ્રસિદ્ધ છે. વીરાત ૫૦૦ વિ. સં. ૩૦ સિદ્ધસેન દિવાકરનું સ્વર્ગગમન. વીરાત્ ૫૧ વિ. સં. ૪૯ શ્રી કુંદકુંદાચાર્ય થયા. (શ્વેતાંબર પટાવળીમાં કહેલ છે.) કુંદકુંદાચાર્ય દિગંબર ગ્રંથમાં તથા તેમની પટાવલીમાં પણ લખેલ છે કે શ્રી કુંદકુંદાચાર્ય વિક્રમ સંવત ૪ માં થયા છે. તે અહિં આશ્ચર્ય એ થાય છે કે શ્રી કુંદકુંદાચાર્ય વિક્રમ સં. ૪૯ વીર નિર્વાણુ સંવત ૨૧૯ માં થયા. એમ બંને મતવાળાઓ કહે છે, તે પ્રશ્ન એ છે કે દિગંબર મત તો વીર નિર્વાણ સં. ૬૦૯ માં ન નીકળ્યો છે. તે પછી કુંદકુંદાચાર્ય દિગંબર મતમાં થયા હોવાનું કેમ માની શકાય ? તેમજ તેમણે રચેલા સમયસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુડ, નિયમસાર, પ્રવચનસાર, પરમાગમ આદિ ગ્રંથો દિગંબર ભાઈઓના મત મુજબ દિગબરાસ્નાયના છે તે અસંભવિત કરે છે. કેમકે મા પહેલાં દીકરાને જન્મ થયો એમ કઈ કહે, તો તે જેટલું હાસ્યજનક છે, તેટલું જ આ હાસ્યજનક કહેવાય. માટે સમજાય છે કે કુંદકુંદાચાર્ય થતાંબરમાં જ થયા હેવા જોઈએ. અને તેમણે રચેલાં પુસ્તકમાં પાછળથી તેઓએ કાંઈક ગડબડ કરી નાખેલ હોય. વળી દિગંબર પટ્ટાવળીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે –વીરનિર્વાણ સં. ૬૩૬ વર્ષ પછી પ્રથમ પુસ્તકે રચાયા કિવા લખાયા. તો તે પહેલાં પુસ્તક રચાયાજ નથી તો શ્રી કુંદકુંદાચાર્યે તે કેવી રીતે રચ્યા? આ વિષય પર પૂરતા વિચાર કરવાથી સ્પષ્ટ સમજાશે; માટે ઉપર્યુક્ત કારણથી સિદ્ધ થઈ શકે કે શ્રી કુંદકુંદાચાર્ય મૂળ પરંપરાએ તાંબરમાંજ થયા છે. વરાત્ પ૨૯, વિ. સં. ૫૯ શ્રી વિમલાચાર્યે પદ્મચરિત્ર રચ્યું. વીરાત્ ૫૪૪ વિ. સં. ૭૪ રેહગુણથી ત્રિરાશિકમતની ઉત્પત્તિ. રાશિક રેહગુપ્ત નામે છો નિખ્તવ શ્રી વીરનિર્વાણ પછી ૫૪૪ વર્ષે અવન્તિકા નગરીને વિષે બળશ્રી રાજાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy