SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આથી તેઓ બંને ઉજ્જયિનીમાં વિક્રમ રાજાની રાજસભામાં ગયા અને ત્યાં ધર્મચર્ચા કરીને સિદ્ધસેનને પરાભવ કર્યો. અને પોતાને શિષ્ય બનાવ્યો. આ વખતે તેમનું નામ “ કુમુદચંદ્ર” પાડવામાં આવ્યું અને ત્યારબાદ તે કુમુદચંદ્ર મુનિ જ્યારે આચાર્ય પદે આવ્યા, ત્યારે તે નામ બદલીને “ સિદ્ધસેન દિવાકર ” રાખવામાં આવ્યું. પછી વૃદ્ધવાદીજી અન્ય સ્થળે વિહાર કરી ગયા. અને સિદ્ધસેન ઉજજયિનીમાં રહ્યા. એકવાર વિક્રમ રાજા હાથી પર બેસી શહેરમાં ફરવા નીકળ્યા હતા, તેવામાં તેમણે સિદ્ધસેનને રસ્તામાં જોયા. તેમની પરીક્ષા કરવા માટે વિક્રમ રાજાએ તેમને મનથી નમસ્કાર કર્યા; આથી શ્રી સિદ્ધસેન દિવાકરે રાજાને મોટા સ્વરે ધર્મલાભ આપે. આ સાંભળી વિકમ રાજાએ કહ્યું -મુનિદેવ! આપને નમસ્કાર કર્યા વિનાજ આપે મને ધર્મલાભ કેમ આપો ? ત્યારે સિદ્ધસેન બેલયા –રાજન્ ! તમે મને મનથી નમસ્કાર કર્યા હતા, જેથી મેં તમને ધર્મલાભ આપે છે ! આ જાણી વિક્રમ રાજા સાનંદાશ્ચર્ય પામ્યા, અને હાથી પરથી નીચે ઉતરી આચાર્યદેવને વંદન કર્યું. તે વખતે રાજાએ ખુશી થઈને “સિદ્ધસેનને ” એક ક્રોડ સોનામહોરો આપવા માંડી; પરંતુ સિદ્ધસેને નિસ્પૃહપણના ભાવે તે ન લીધી, અને રાજાને ઉપદેશ આપીને જૈનધર્મી બનાવ્યા. સિદ્ધસેનાચાર્યે મહાકાલેશ્વરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની સ્થાપના કરાવી, અને કલ્યાણમંદિર સ્તોત્ર રચ્યું. કેટલાક સમય પછી રાજ્ય તરફથી મળતાં ખૂબ માનપાનના પ્રભાવે શ્રી સિદ્ધસેન દિવાકર શિથિલાચારી બની ગયા. આ બાબતની શ્રી વૃદ્ધવાદીજીને ખબર પડવાથી તેઓ ઉજજયિનમાં આવ્યા, અને યુક્તિમય સધથી સિદ્ધસેન દિવાકરને શિથિલાચારમાંથી મુક્ત કર્યા. એકદા પ્રસંગે શ્રી સિદ્ધસેનાચાર્ય ચિતોડ ગયા. ત્યાં તેમણે એક પ્રાચીન વિશાળ સ્તંભ જે. તપાસ કરતાં તેમને માલમ પડ્યું કે તે સ્તંભમાં પૂર્વના મહાન આચાર્યએ ચમત્કારીક વિદ્યાના પુસ્તકે સંગ્રહી ચૂક્યા છે. આથી તેમણે કેટલીક ઔષધિઓના પ્રયોગથી તે વજ દ્વાર ખોલી વિદ્યાના પાના કાઢયા; તેમાંથી તેમને સારસ્વતી તથા સુવર્ણસિદ્ધિ નામક વિદ્યા પ્રાપ્ત થઈ. બીજા પાનાઓ કાઢવા જતાં તે સ્તંભ એકાએક બંધ થઈ ગયે; એટલું જ નહિ પણ તેમાંથી એક એવી અદશ્યવાણું તેમના સાંભળવામાં આવી કે – તમારે બીજા પાના વાંચવા નહિ. આથી શ્રી સિદ્ધસેન દિવાકર તે બંને વિદ્યાઓ લઈ ત્યાંથી વિહાર કરી ગયા અને દક્ષિણમાં આવ્યા. ત્યાં જૈન ધર્મને ઉદ્ધાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy