SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન જોબન રાજમદ, અવિચલ રહે ન કાય; ૩૫ જે દિન જાય સત સંગમે, જીવનકા ફલ સોય. (૧૯) શુભ ગણધર (૨૦) ધર્મનાથ (૨૧) વારિષણ (૨૨) વધમાન (૨૩) સુમનિનાથ (૨૪) શાંતિનાથ (૨૫) મહાવીરપ્રભુ (૨૬) સુપાશ્વનાથ (૨૭) વિમળનાથ (૨૮) અજિતનાથ (૨૯) નેમનાથ (૩૦) પાર્શ્વનાથ છેલ્લી ટુંક જળમંદિરથી ૧ માઈલ દૂર છે. ચઢા ઉપરાંત લગભગ ૭૫ પગથિઓ બાદ દરવાજો આવે છે, કિલ્લાવાળું આ મંદિર ને એ ઉપરાંત આ મંફિર કેટલાક માઈલ દૂરથી દષ્ટિગોચર થાય છે. સર્વથી આ સ્થળ ઊંચું છે, તેમજ શ્રી પાર્શ્વપ્રભુનું નિવાણું આ સ્થાને જ થયું છે. આરસની સુંદર કમાન નીચે પ્રભુત્રીની મનોહર પાદુકા છે. આકાશની સાથે વાતો કરતું મંદિરનું ઉજજવળ શૃંગ બહુ જ હૃદયાકર્ષક લાગે છે. આ જગ્યાએ ઊભા રહી ચોતરફ નજર ફેંકતા જે દશ્ય જણાય છે તે કોઈ જુદી જ છાપ પાડે છે. અહીં ઊભા રહી સઘળી દેરીઓના દર્શન થાય છે, નીચણમાં તરફ લીલીછમ હરીયાળી ભૂમિને દૂર દૂર ચાના બગીચા દેખાય છે, અનેક સુંદર ગુફાઓ આ પહાડમાં છે, એમાં ચંદ્રપ્રભુવાળી બધાથી મોટી ને ધ્યાન માટે સાનુકૂળ છે. તેની તદ્દન નીચે જ સુંદર બગીચે છે. આ આ પહાડ અનેક ઔષધિઓનો ભંડાર છે, સાક્ષત અમરવન જ હોય તેવું આ સ્થળ છે દીસે છે, આવા પવિત્રને શાંતિજનક સ્થાનમાં જ વીશ તીર્થનાયક અને સંખ્યા બંધ ત્યાગમૂતિ સંતે શુકલધ્યાન ધરી કેવલશ્રીને વર્યા છે. આ ટુંકેથી થોડું ઉતરી નીચે જતાં ડાક બંગલે આવે છે. ત્યાં આગળ નીમીયા ઘાટને રસ્તો ફુટે છે. તે સીધો ઈશરી યાને પાર્શ્વનાથ તરફ જાય છે. યાત્રાળુએ તે મધુવન જતાં ભાગે ઉતરવું. વચનમાં એક ટેબ્લેટ” આવે છે. તે પર આ પહાડનો ઉપયોગ કરવા સંબંધી અંગ્રેજીમાં નોટિસ છે. તે જ બીજે “ટેબ્લેટ” ધર્મશાળામાં પેઢી સામે દિવાલમાં બેસાડેલે છે એની પ્રથમ સ્થાપના આ ૧૮૭૦ ના માર્ચની ૨૫ મી તારીખે થયેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy