SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ મધુર વચન હૈ ઔષધિ, કટુ વચન હૈ તીર; શ્રવણ દ્વાર હોય સંચરે, સાલે સકલ શરીર. પડયા જેવી અને છેડા પર સામસામે આવેલી છે. પ્રદક્ષિણુને પ્રારંભ શ્રી ગૌતમ સ્વામીની દહેરીથી કરે ને પછી ક્રમસર ડાબી બાજુ આગળ વધવું. (૧) શ્રી ગૌતમ (૨) શ્રી કુંથુનાથ (૩) રૂષભાનન (૪) ચંદ્રાનન (૫) નમિનાથ (૬) અરનાથ (૭) મલ્લિનાથ (૮) શ્રેયાંસનાથ (૯) સુત્રિધિનાથ (૧૦ પદ્મપ્રભુ (૧૧) મુનિસુવ્રતજી (...) જિનકુશળદાદા (૧૨ ચંદ્રપ્રભુ (૧૩) રૂષભદેવ (૧૪) અનંતનાથ (૫) શીતળનાથ (૧૬) સંભવનાથ (૧૭) વાસુપૂજ્યજી (૧૮) અભિનંદા આ રીતે જુહારી, પાછા ફરી, વાસુપૂજ્યજીની દહેરી આગળ આવી ઘેટું ઉતરી સામેના જળમદિરમાં જવું જગતરૂ ખુશાલચંદે આ મંદિર બંધાવેલું છે. એ વેળા રેલ્વેના સાધનો ન હોવાથી હાથીઓની પીઠ પર લાદીને સામાન લાવવામાં આવેલ. મૂળનાયક શામળા વર્ણના હોવાથી શ્રી શામળીયા પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ છે. પ્રતિષ્ઠા કર્યાના લેખને સ. ૧૮૨૨ છે. આખા પહાડ પર માત્ર અહીં જ મૂતિઓ છે. સંપ્રદાયિક કલહથી મુક્ત ને રળિયામણું મંદિર આ છે. નજીકમાં કુંડ, ધર્મશાળા બગીચે છે. “ધુરમટનું મંદિર” પણ આને જ કહેવાય છે. મૂળનાયકની ઉભય ભાજુએ નાની શ્યામલ મૂર્તિઓ તેમજ મોટી ત મૂર્તિઓ સુંદર રીતે બેસાડેલી છે. એમાં એક સહસ્ત્રફણા પાશ્વનાથની જામળાજીખ મૂર્તિ જોતાં અંતર ભક્તિથી ઉભરાય છે. ચિરકાળથી જેમના દર્શન માટે સેવના સેવાયેલા, તેમને ચક્ષુ સામે વિરાજમાન જોતાં કોઈ અનેરો આનંદ છૂટે છે. તમે તો ભલે બિરાજજી, શામળીઆ મહરાજ...વાળી લીટી યાદ આવે છે. પૂજન કરી ભાવસ્તવમાં એકતાન થવાનું અહી ઠીક અની આવે તેમ છે. સ્થળ પણ નિવાર અને નિવૃત્તિજનક છે. આમ ભક્તિનો અનુપમ લ્હાવો લીધા બાદ મંદિરના પાછળના ભાગેથી ઉપર ચઢી પુનઃ દેરીઓનો ક્રમ શરૂ કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy