SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૧૯૬૦ ની સાલને એટલે ફકત ઓગણીસ વર્ષની વયે નોકરીથી શરૂઆત કરી ત્યાર બાદ અનેક તડકા છાયડાં સહન કરી અનુભવ મેળવી સં. ૧૯૬૮ના વર્ષમાં અમદાવાદમાં નાનકડી વાસણની દુકાન કરી, તેઓશ્રી સરલ સ્વભાવી, માયાળુ, તેમજ ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોવાથી અનેક ચડતી, પડતીના ચક્કરમાંથી પસાર થતા પુન્યાગે, સં. ૧૯૮૨ની સાલ સુધીમાં ચાર દુકાને કરી અને ત્યારબાદ અમદાવાદમાં ન્યુ વાસણ મારકીટ બંધાઈ અને આખી મારકીટ ભાડે રાખી તેમાં બીજી ચાર દુકાને કરી, અને તે ઉપરાંત ભાગ્યદયથી મુંબઈમાં ઝવેરી બજારમાં શા. નાનાલાલ વાડીલાલ નામની દુકાન કરી, પુન્યને ધંધામાં જેમ વૃદ્ધી થવા લાગી તેમ તેમ લક્ષ્મી શુભ માગે વાપરવા લાગ્યા, એટલેથીજ સંતોષ ન થતાં, ધંધામાંથી નીવૃતી લઈ વીતરાગ પ્રભુએ બતાવેલ ધર્મ ભાગમાં આગળ વધતા ગયા, શ્રાવકના વ્રત અંગીકાર કરવા તે પૂર્વ ભવને પુન્યદય હોય તેજ બની શકે છે તેઓશ્રી છેલ્લા ત્રીસ (૩૦) વર્ષથી છુટા મેઢે જમતા નથી એકાસણા, બેસણુ, આંયબીલ ઉપવાસ, વીગેરે યથા શકતી વ્રત કરે છે, ઉપરાંત, (કીયાઓ) રાઈ, ત્યા દેવની પ્રતિક્રમણ, તેમજ બે સામાયક તે. અવશ્ય કરવાના, આ કયાએ તે આવશ્યક છે. ઉપરાંત, ઉપધાન તપની આરાધના કરી (પાલીતાણામાં) અનેક ભવ્ય આત્માઓની સાથે શાશનની પ્રભાવનાના કાર્યો કર્યા હતા તેમજ લક્ષ્મીને સદવ્યય કર્યો હતે. ઉપરાંત તેઓશ્રીએ શ્રી નવપદની પ્રાશ્વાતીઓની (૫૦) પચાસ કરી મુંબઈમાં સારે ઉત્સવ કર્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy