SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ બહુ ક્રોડ વરસે ખપે કમ અજ્ઞાને જેહ; ૨૬૭* જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ અપાવે તેહ. ૩ ખતરગચ્છના મંદિરમાં શ્રી ધર્મનાથજીની પ્રતિમા છે. ૪ ચૌદસીઆગચ્છના મંદિરમાં શ્રી શીતળનાથજી છે. ૫ ગામબહાર ગોડીજી પાર્શ્વનાથનું મંદિર બાવન જિનાલય છે. જોધપુર રેલ્વેમાં સમદડી જંકશનથી દક્ષિણમાં જાલોરભિન્નમાલ થઈ સાચર જવાય છે. રાણુવાડા સ્ટેશનથી મોટર જાય છે. તીર્થ ખાસ દર્શનીય છે.. બેનમૂન કલામય મંદિર શ્રી રાણકપુર તીર્થ નાદિયા ગામના રહેવાશી શેઠ ધનાશા અને રત્નાશા બે ભાઈ એ હતા. દિલ્હીના બાદશાહનો પુત્ર રીસાઈને જતો હતો તેને આ બે ભાઈઓએ સમજાવી દિલ્હી મોકલ્યો તેથી બાદશાહ બહુ રાજી થયો. બંને ભાઈઓને સન્માનપૂર્વક બોલાવ્યા. દિલ્હીમાં રાખ્યા પણ રાજ્યના કાવાદાવાથી કંટાળી તેઓ પાછા આવ્યા. રાણકપુરમાં આવો વસ્યા. અહીં પુણ્યપસાએ લક્ષ્મીથી તુષ્ટમાન થયાં. નલિની ગુલ્મ વિમાનનું સ્વપ્ન લાગ્યું અને એવું મંદિર બંધાવવાની ભાવના જાગી દેપાક મિસ્ત્રીએ નકશો બનાવ્યો અને કામ શરૂ કર્યું. પાયામાં કેસર, કસ્તુરી અને સાત જાતની ઉત્તમ ધાતુઓ નાખી. બાસઠ બાસઠ વર્ષ કામ ચાલ્યું=સાત માળનું ગગનચુંબી મંદિર બંધાવવા ભાવના હતી પણ ચાર માળ તૈયાર થયા પછી ધીરજ ખૂટી-આયુષ્ય અલ્પ જા | શ્રી સોમસુંદરજીના હસ્તે પ્રતિષ્ઠા કરાવવામાં આવી. આ મંદિરમાં ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયાને ઉલ્લેખ છે, ફાલના અને રાણીથી રાણપુર જવાય છે પચીસ પગથીયાં ચડતાં મુખ દ્વાર આવે છે. પ્રવેશ માટે ચાર દરવાજા છે. આ મંદિરમાં ૧૪૪૪ થાંભલાઓ છે. કેટલાક થાંભલાની ઉંચાઈ ૪૦ થી ૪૫ ફૂટથી વધારે છે. આવા કોતરણીવાળા થાંભલાદશ દશ હજારથી પણ બનાવા મુશ્કેલ છે. ૮૪ શિખરબંધ દેરીએ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy