SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ભણતાં પંડિત નીપજે લખતાં લહીઓ થાય; ૨૬૫ ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબે પંથ કપાય. કૃપાથી સેનાને હરાવી પણ મોલવીઓ ગુપ્ત વેશે મંદિરમાં રહ્યા અને લેહી છાંટી મંદિર અપવિત્ર કર્યું. મૂર્તિઓ ખંડિત કરી. સવારમાં • તે તે પકડાઈ ગયા અને તેને રાજાએ મારી નંખાવ્યા. ખંડિત મૂર્તિને માટે ધાધલ શેઠ વગેરેને પારાવાર દુઃખ થયું. અને ઉપવાસ કર્યો. દેવે સ્વપ્ન આપ્યું કે મૂર્તિને નવશેર લાપશીમાં • નવ ટુકડા સાંધીનો મૂકે. નવમે દિવસે દરવાજા ઉઘાડજે પણ સાતમે તે દિવસે કોઈ સંધ દર્શને આવ્યા તેના આગ્રહથી બારણું ઉઘાડયું. ટુકડા જોડાઈ ગયા હતા પણ રેખાઓ દેખાતી હતી. મુસલમાન સેનામાં ઉપદ્રવ થયો. દીવાન રાવલ અવ્યો, તેને સ્વપ્ન આવ્યું કે તમારા રાજા અહીં આવી માથું મુંડાવે તે રાજાપ્રજાને શાંતિ થશે. પાદશાહે માથું મુંડાવ્યું અને ઉત્સવ કર્યો. તીર્થનું મહામ્ય ખૂબ છે. જીર્ણોદ્ધારમાં મૂળનાયક શ્રી નેમીનાથજી ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મહામંત્રી પેથડકુમાર, ઝાંઝણુ, • ચાહડ વગેરેએ જીરાવલાની યાત્રાઓ કરી છે. બ્રાહ્મણ–વરમાણ જીરાવલા પાર્શ્વનાથ જે સ્થાનેથી નીકળ્યા તે બ્રાહ્મણપુર એ જ અત્યારનું વરમાણ. આ બ્રાહ્મણગચ્છની ઉત્પતિનું સ્થાન છે. અહીં સુંદર કારણદાર મજબૂત પત્થરનું ભવ્ય જનમંદિર છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની સાડાત્રણ હાથની વિશાળ સુંદર -મતિ છે. આ મંદિર મેઢેરાના ગામ બહારના પ્રાચીન મંદિરનું સ્મરણ કરાવે છે. મે મેઢેરાનું મંદિર પણ જૈન મંદિર હતું. - મૂળ મંદિરના પ્રવેશદ્વારમાં બંને તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાનની -ત્રણ ત્રણ હાથ મેટી સુંદર મૂર્તિઓ છે. મૂળનાયકની બદામી રંગની મૂતિ પરમ દર્શનીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy