SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧. શઠની સંગતથી સહે, ભલા જનો દુખભાર; માંકડના મેળાપથી ખાય ખાટલે માર. લેવલથી ૮૫ ફુટ ઉંચું ત્રણ મજલાનું, ત્રણ ભવ્ય શિખરો તથા. નવ ગભારાવાળું ૧૦૦+૭૦ ફુટની લંબાઈ પહોળાઈવાળી જગ્યામાં પથરાયેલું આવું ગગનચુંબી વિશાળ જિનમંદિર, સમસ્ત ભારતમાં આ એક અને અદ્વીતીય છે. એમ જોતાં હેજે જણાઈ આવે છે. આજે હજારો યાત્રિકો આવાં મહાપ્રભાવક જિનમંદિરને જોઈ આશ્ચર્યચક્તિ બને છે. આ દેરાસરને તૈયઠર કરવામાં અત્યાર સુધી લગભગ રૂ. આઠલાખનું ખર્ચ થયું છે. હવે દેરાસરમાં પાકા પ્લાસ્ટરનું કાર્ય, રૂપકામ, શિલ્પકામ તથા નૃત્ય મંડપમાં આરસ પાથરવાનું કામ–આ બધાં કામે ચાલે છે. જેમાં અંદાજ મુજબ રૂ. બેથી અઢી લાખ તો ખરચ થાય. હાલ શ્રી સંઘ પાસે ભંડોળ નથી. હવે જે પ્રભાસપાટણ સંધના આગેવાનો, મહેનત લે, અને લાગણીપૂર્વક સેવાભાવે, મુંબઈ, અમદાવાદ, ખંભાત, પાટણ, કલકત્તા, મદ્રાસ, બેંગલોર, જામનગર, રાજકોટ, ભાવનગર આદિનાં સંઘોનો સહકાર પ્રાપ્ત કરે તો છેવટે દેરાસરજીના ભંડારમાંથી પણ સહાય અવશ્ય ભલી રહે. આજે સમદ્દત હિંદના જૈન સંઘની પહેલી ફરજ છે કે, આવા અનુપમ તીર્થસ્માનમાં અદ્વિતીય બેનમૂન જિનમંદિરના અધૂરાં કાર્ય માટે પિતાની શક્તિ સંપત્તિ તથા લાગવગને ઉપયોગ કરી આ મહાન તીર્થના જીર્ણોદ્ધારનું કાર્ય સંપૂર્ણ પાર પડે તે માટે ભગીરથ - પુરૂષાર્થ તેઓ કરે ! અન્ય જિનમંદિર તથા ધર્મસ્થાને-એક જ લત્તામાં આ સુંદર જિનમંદિરની સાથે અન્ય ચાર જિનમંદિરો આવેલાં છે. શ્રી મલિનાથ ભીનું શ્રી મહાવીર સ્વામીનું, તથા શ્રી ઋષદેવ ભનું આમ ચાર મંદિરે છે. સાથે ત્યાં શ્રીસંઘની દેરાસરો તથા ઉપાશ્રયને વહિવટ કરનારી પેઢી છે. બાજુમાં શ્રીતપાગચ્છજી જૈન ઉપાશ્રય છે. જ્ઞાનશાળા, લાયબ્રેરી, જાદવાખાનું. ધર્મશાળા, ભોજનશાળા તથા . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy