SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સદ્દગુરૂ અસા કીજીએ, તુરત દિખાવે સાર; પાર ઉતારે પલકમેં દર્પણ મેં દાતાર. નના પ્રતિમાજી અદભૂત તેમજ મહાપ્રભાવિક છે. દેરાસર તીર્થભૂમિ જેવું રમણીય છે, આ દેરાસરને પાકા રંગ-રોગાનથી રંગવામાં આવે તો અતિશય ભવ્ય બને તેવું છે. સામે પણ દેરાસર છે. કૃષ્ણનગરમાં હમણું નવું દેરાસર તૈયાર થઈ ગયું છે. શહેરમાં મારવાડીના વંડા તરીકે ઓળખાતો ઉપાશ્રય છે. જે જુને તેમજ હાલની વસ્તી માટે હાને પડે છે. આ ઉપાશ્રયનાં સ્થાને સુંદર આલિશાન પૌષધશાળાની અહિં આજે જરૂર છે. વડવામાં તથા કૃષ્ણનગરમાં ઉપાશ્રયો છે. શ્રી જૈન ધર્મ પ્રચારક સભા તથા શ્રી જૈન આત્માનંદ સભા અહિં છે. જેને સમાજમાં સાહિત્યના પ્રચાર દ્વારા આ બન્ને સંસ્થાએ સુપ્રસિદ્ધ છે. શ્રી જૈન આત્માનંદ સભાની સાહિત્ય પ્રવૃત્તિ હજુ વણથંભી પ્રગતિ સાધી રહી છે. જૈન ધર્મ પ્રકાશ, આત્માનંદ પ્રકાશ અહિંથી પ્રસિદ્ધ થાય છે. આ બન્ને સંસ્થાઓનાં મકાનમાં વિશાલ જ્ઞાનમંદિર–લાઈબ્રેરી છે. “જૈન” અઠવાડિકની ઓફીસ અહિં છે. આ સિવાય બી વૃદ્ધિચંદ્રજી જૈન સંગીત મંડળ, શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, તથા જૈન વિદ્યાથી ગૃહ આદિ સંસ્થાઓ અહિં છે. સ્ટેશન પર બે જૈન ધર્મશાળાઓ છે. એક દેરાસર છે. અહિં જૈન ભોજનશાળા છે. તથા વર્ધમાન તપ આયંબીલ ખાતું છે. ઘોઘા–ભાવનગરથી લગભગ ૧૪ માઈલ પર ઘોઘા બંદર છે. અહિં નવખંડા પાર્શ્વનાથજીનું પ્રાચીન ઐતિહાસિક તીર્થધામ છે. વિ. સં. ૧૧૬૮ માં આ. ભ. શ્રી મહેન્દ્રસુરિજીએ આ પ્રભુજીની અંજન શલાકા કરાવી છે. આ મહોત્સવમાં પિતાની સંપત્તિને સદ્વ્યય કરનાર નાણાવટી હીરાશેઠ હતા. બાદ મુસ્લીમોના હાથે આ પ્રતિમાજીને ભાગ થયો, તેના નવ ટુકડાઓ થયા, બાદ અધિષ્ઠાયક દેવે રૂના પોલમાં અથવા લાવણીમાં ભરીને પ્રતિમાજી રાખવાનું કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy