SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ વડા વાઈ ના કરે, વાક ન બોલે બેલ; હીરા મુખસે ના કહે, લાખ અમારા મોલ. તૂટી ગઈ છે, થોડી જરિત દશામાં ઊભી છે અને જે સારી હાલતમાં છે તેની દશા પક્ષીવિહુણા પિંજર જેવી છે. પબાસન સુંદર છતાં એ પર બેસનાર પ્રભુ કયાં છે ? બાધણીમાં ને કારીગરીમાં આ દેવાલ અગ્રસ્થાન ધરાવે છે. ગર્ભગૃહ ઉપરાંત વિશાળ રંગમંડપ, ફરતી દેરીઓ, કરણીવાળા તેરણ હેઠળની બેઠક મનોહરતામાં ઓર ઉમેરો કરે છે. એમાં પણ શ્રી વીરપ્રાસાદ તો કેરણીમાં-છતના કથાપ્રસંગોના આલેખનોમાં આબુજીની યાદ આપે છે. - (૧). કારખાનામાં પ્રવેશતાં ડાબા હાથે શ્રી પાર્શ્વનાથથાંભલા તથા દહેરીઓની સુંદર કોતરણ. (૨) કારખાનામાં પ્રવેશતાં જમણું હાથે શ્રી મહાવીર પ્રભુ બે કાઉસ્સગીઆ-કમળોની કેરણીવાળું રમણિયા દહે. (૩) શ્રી નેમિનાથ–મોટું દહે. જતાં ડાબા હાથે આદીશ્વરજી, જમણે હાથે પાર્શ્વનાથ. આમ ત્રણ બિંબથી યુક્ત, જેવા જેવા તોરણ-ઘુમટ, ગભારા ને વિશાળ રંગમંડપવાળું દહેરું. (૪) શ્રી શાંતિનાથ નં. ૩ની સામે- ૫) શ્રી સંભવનાથ-ધર્મશાળાની સામે. સામાન્ય પ્રકારના છતાં મનેહર. આવા રમણિય પ્રાસાદો ભક્તિ માટે વિશાળ રંગમંડપ, ધ્યાન માટે એકાંત પ્રદેશ છતાં જૈન સમાજના મેટા ભાગથી અણસ્પર્શીયલાં જ છે. પૂર્વકાળનો આ અણમૂલ વારસે જોવા જેટલી શું સમાજને ફુરસદ નથી ! જૈન સંતાન પ્રમાદ ખંખેરી આના ઈતિહાસમાં ઊંડે ઉતર એટલે એમાંથી કઈ નૂનત સત્ય જી આવશે. આવા સ્થાનોની ભીતરમાં કેટલુંયે છુપાયેલું છુપાયેલું છે. પણુ એ શોધવાની સાચી ઉલટ વિના કયાંથી તે જડી આવે? એક વાર નજરે તો જરૂર જોઈ લેજે જ, ત્યારે જ ભાન થશે કે અફાટ અરણ્ય વચ્ચે આ કેવો સુંદર જવાહરભર્યો ભંડાર પડ્યો છે! આજે તે એના રક્ષણનો ભાર છેડા પૂજારી–મુનિ પર જ છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy