________________
(જુદાઇ) અને કોઈ અપેક્ષાએ અભેદ માનો વ્યાજબી અને દૂષણ વિનાને છે. કદાચ કોઈ એમ કહે કે, ઉત્પન્ન થતા અને નાશ પામતા એવા માત્ર એકલા ધર્મો જ છે, પણ એ ધર્મોને આધાર એવો કોઈ ધર્મ નથી. તે તે તે કથન ગેરવ્યાજબી છે. કારણ કે, કોઈ પદાર્થોના આધાર વિના એકલા ધર્મો હોઈ શકતા જ નથી રહી શકતા જ નથી અને સંભવી પણ શક્તા નથી. કિંતુ એ બધા ધર્મો એક ધમ્રૂપ પદાર્થમાં જ રહેતા અનુભવાય છે અને એ હકીકત સૌ કોઈને માન્ય છે. જો કે, ઉત્પન્ન થતા અને નાશ પામતા અનેક ધર્મોને આપણે જાણી શકીએ છીએ અને તે બધા ધર્મોને આધાર તથા તે તે અનેક ધર્મમય એવો એક ધર્મી કે, જે દ્રવ્યરૂપે ધ્રુવ રહે છે તેને પણ સૌ કોઈ તદન વાંધા વિના પ્રત્યક્ષપણે અનુભવે છે, એને કઈ શી રીતે એળવી શકે? જેનો અનુભવ આપણને નજરોનજર થતો હોય તેને પણ જે એળવવામાં આવે તે સંસારના વ્યહવાર માત્રને નાશ થવાને પણ પ્રસંગ આવશે માટે કોઈ પ્રકારે એ બધા ધર્મના આધારરૂપ પદાર્થને ધર્મવાળાને-કોઈ પણ મનુષ્ય માળવી શકે એમ નથી. છેવટે કહેવાનું તાત્પર્ય એ છે કે, “ પ્રત્યેક પદાર્થ અનંત ધર્મવાળા છે ” એ હકીકત અનેક પ્રમાણોથી સિદ્ધ થઈ ચૂકી છે અને હવે એમાં એક પણ વાંધાને આકાશ નથી. એ બાબતને વધારે પુષ્ટિ આપનારું અનુમાન પ્રમાણે આ પ્રમાણે છે–પ્રત્યેક ચીજ અનંત ધર્મવાળી છે અર્થાત વરતુ માત્રમાં નિત્ય, અનિત્ય, સત, અસત, સામાન્ય, વિશેષ, વક્તવ્ય અને અવક્તવ્ય વિગેરે અનેક ધર્મો રહેલા છે, કારણ કે, એ પ્રકારનો કોઈ પ્રકારના બાધ વિનાને અનુભવ હૈ કોઈને થયા કરે છે. ખરી રીતે વિચારીએ તો આપણે જે જાતને પ્રામાણિક અનુભવ કરતા હોઈએ તે જ પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ માનવું વ્યાજબી છે- જેમ આપણે ઘટને ઘટરૂપે માનીએ છીએ, પણ કપડારૂપે નથી માનતા તે જ પ્રમાણે આપણે આપણું અનુભવ પ્રમાણે પ્રત્યેક પદાર્થને અનંત ધર્મવાળે માન જોઈએ. “દરેક ચીજ અનંત ધર્મવાળી છે એ વાતને સાબીત કરવાને જે “અનુભવ” રૂપ હેતુ કહ્યો છે તે કાંઈ અસિદ્ધ નથી, વિધવાળા નથી, તેમ બીજે પણ કોઈ જાતનો બાધ તેને નડી શકતો નથી. કારણ કે, એ અનુભા તદન નિર્દોષ છે, એ અનુભવ સને થાય છે અને યુક્તિયુક્ત હોવાથી સે તેને કબુલ કરી શકે તેમ છે. હવે કદાચ એમ કહેવામાં આવે છે, જેમ ઠંડક અને તાપ બન્ને તદન વિરૂદ્ધ હોવાથી એક સાથે રહી શક્તાં નથી તેમ સતપણું અને અસત્પણું, નિત્યપણું અને અનિત્યપણું વિગેરે પરસ્પર વિરોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org