SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સરખાં હોવાથી આપણે એ ખની પેઠે ભ્રમિત બનીએ છીએ કે, એનું એ મૂળદ્રવ્ય છે અર્થાત નખની જ પેઠે મૂળ દ્રવ્યનો પણ નાશ થઈ જાય છે માટે મૂળદ્રવ્યને સ્થાયી શી રીતે મનાય ? એનો જવાબ આ પ્રમાણે છે –એ નખનું ઉદાહરણ તે તદન ખોટું છે-એ નખ તે કપાઈ ગયા પછી બીજે જ આવે છે એમ સિા કે જાણે છે માટે “નવા નખને પણ એને એ જ નખ માને એ મોટી ભૂલ છે. અહીં તો દ્રવ્યરૂપ મૂળને કદી પણ નાશ થતે અને એની જગ્યાએ બીજું મૂળ આવતું કોઈએ જાણ્યું, જોયું કે અનુભવ્યું નથી માટે એમ શી રીતે કહેવાય કે, મૂળદ્રવ્ય પણ નખની પેઠે બદલ્યા કરે છે અને એ, એનું એ લાગે છે તે નખની જેવું ભ્રમવાળું છે ? કોઈ પણ મનુષ્ય એમ માનતું નથી કે, સેનાની કંઠી ભાંગી કઠું કરાવ્યા પછી સોનું બદલી જાય છે-એની જગ્યાએ બીજું જ સોનું આવે છે. કિંતુ સિં કઈ સેનાના અનેક ઘાટ ઘડાવ્યા પછી પણ સેનાની એકરૂપતાને જ એક અવાજે કબલ કરે છે માટે કઈ રીતે પણ દ્રવ્યને નાશ ઘટી શકતા નથી અને એને માનવ એ પણ અનુભવ અને વ્યવહાર વિરૂદ્ધ છે. અર્થાત દિવ્યરૂપે તે પદાર્થમાત્ર સ્થિર જ રહે છે અને એના આકાર બદલ્યા કરે છે–નવા થાય છે અને આગળના-જુના-નાશ પામે છે—એ હકીકતમાં કોઈ જાતનું દૂષણ જણાતું નથી. કારણ કે, સૌ કોઈને એવો જ અનુભવ થાય છે, થયો છે અને થયા કરે છે. હવે કદાચ કોઈ એમ કહે કે, ધોળા શંખમાં જેમ પીળા રંગનું ભાન થાય છે અને તે ખોટું છે તેમ વસ્તુમાં થતા ફેરફારે, જેને અહીં પર્યાયે કહેવામાં આવ્યા છે તે, એ શંખના પીળા રંગની પેઠે બેટા જ શા માટે ન હોય ? એને ઉત્તર આ પ્રમાણે છે –શંખમાં જે પીળા રંગનું ભાન થાય છે, તે કાંઈ સિ કોઈને થતું નથી, એ તો માત્ર જેને કમળાને રાગ થયો હોય એને જ થાય છે માટે એ ભ્રમવાળું છે એ વાતને સૈ ઈ માને છે. કિંતુ સેનાની કંઠીનું કહું થયું, કડાની વીંટી થઈ, વીંટીને વેઢ થશે અને વેઢનું માદળિયું થયું–એ રીતે સેનાના જે અનેક ઘાટ થયા કરે છે–આગળના ઘાટોને નાશ થઈ એને સ્થાને નવા ઘાટે આવ્યા કરે છે–એને તે આખું જગત એક સરખી રીતે જાણે છે, માને છે અને અનુભવે છે માટે એ અનુભવને શંખના ઉદાહરણથી કોઈ પણ રીતે ખોટો પાડી શકાય એમ નથી એ જ પ્રકારે છતાં હર્ષ, શોક, ઉદાસીનતા અને ક્રોધ વિગેરે નવાનવા રંગે આવે છે એમ પણ સે કોઈ અનુભવે છે માટે એ બધું ફેરફારનું જ્ઞાન કે s, 4 wal, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy