SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ શકતું નથી. જે. એવી વસ્તુમાં પણ હયાતી ધરાવવાની લાયકાત આવી શકતી હોય તે સસલાનાં શિંગડાં પણ કોઈ વખતે હયાતી ધરાવવાને લાયક થવાં જોઈએ—આકાશની કળીમાંથી પણ કોઈ વખતે સુગંધ આવવી જોઈએ અને વાંઝણીના પુત્રનું પણ કોઈ વખતે પરણેતર થવું જોઈએ. પરંતુ એમ થતું અત્યાર સુધી કોઈએ જોયું કે જાણ્યું નથી. માટે વદન હયાતી વિનાની વસ્તુમાં પાછળથી હયાતી ધરાવવાની લાયકાત આવી શકતી નથી. હવે જે વસતુમાં હયાત રહેવાનો ધર્મ રહેલો જ છે તે વસ્તુમાં ફરીવાર ઉપાદ વિગેરે કલ્પવાં ઉચિત જણાતા નથી. જો એવી વસ્તુમાં પણ ફરીથી ઉપાદ વિગેરેને કલ્પવામાં આવે તો પછી એની કયાંય આરે આવશે નહિ માટે અહીં આ એક પ્રશ્ન છે કે, જે ઉત્પાદ વિગેરે ધર્મો છે તે ક્યા પ્રકારના પદાર્થના માનવા ?–શું પહેલાં અસર રહેતા પદાર્થના માનવા ? કે સત્ રહેતા પદાર્થના માનવા ? અને ઉત્તર આ પ્રમાણે છે:–અહીં જે ઉત્પાદ વિગેરેને જણાવવામાં આવ્યા છે તે કઈ પણ વસ્તુમાં પાછળથી આવતા નથી, એ તો વસ્તુના ધર્મ જ છે–વસ્તુની સાથે જ હમેશાં રહેનારા છે–વસ્તુથી કાંઈ જુદા જુદા નથી. ઉપર જણાવેલો પ્રશ્ન ત્યારે જ ઉઠી શકે અને એમાં જણાવેલાં દૂષણે પણ ત્યારે જ લાગુ થઈ શકે, જ્યારે વસ્તુથી એ ઉત્પાદ વિગેરે તદન જુદા હેય અને એ બે વસ્તુમાત્રમાં પાછળથી આવતા હોય. પરંતુ અહીં તે વસ્તુસ્થિતિ એવી નથી માટે ઉપરનો પ્રશ્ન કે એક પણ દૂષણ લાગુ થઈ શકતું નથી. અહીં અમે તે એમ જણાવીએ છીએ કે, જે વસ્તુ, ઉત્પત્તિરૂપ, સ્થિતિરૂપ અને નાશરૂપ હોય એ જ હયાતી ધરાવી શકે છે અને એવી જ વસ્તુ હયાતી ધરાવવાને લાયક છે. માટે અમારા આ કથનમાં કોઈ જાતનું દૂષણ કે પ્રશ્ન થઈ શકતાં જ નથી. કેઈ પણ પદાર્થ પિતાનું પિતાપણું ગુમાવતા નથી અને એમાં નવું પોતાપણું આવતું નથી અથોત મૂળદ્રવ્યની અપેક્ષાએ કોઈ વસ્તુની ઉત્પત્તિ કે નાશ થઈ શકતાં નથી. જેમ ઘડાનું મૂળ રૂપ માં છે, હવે તે ફુટી જાય તે પણ માટીનો નાશ થતો નથી તેમ એ માટીરૂપ હોવાથી એમાં એ, કાંઈ નવું આવ્યું નથી–ઘડાના થતાં અનેક રૂપાંતરમાં એનું મૂળરૂપ-માટીરૂપ-કાયમ કળાયા કરે છે માટે એમ માનવું જોઈએ કે, કદીપણું મૂળદ્રવ્યને નાશ થતો નથી. માત્ર જે બદલે છે તે આકાર જ છે. હવે કદાચ કોઈ એમ કહે કે, જેમ એકવાર નખ ઉતરાવ્યા પછી પાછા પરીવાર નખ ઉગે છે અને આપણને એમ લાગે છે કે, એ નખ એને એ છે, તેમ મૂળ દ્રવ્ય પણ બદલ્યા જ કરે છે, પરંતુ એનાં રૂપ વિગેરે સરખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy