SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર જાણવાના છે. અહીં જે ઘટના અનંતાનંત સ્વ અને પરપર્યાયે કહ્યા છે તે બધાની ઉત્પત્તિ, નાશ અને સ્થિરપણું વિગેરે બધું અનંતકાળે અનંતીવાર થયું છે, થાય છે અને થશે-તે અપેક્ષાએ પણ ઘટના અનંત ધર્મો થઈ શકે છે. એ પ્રકારે પીળા વર્ણથી માંડીને અહીં સુધી માત્ર એક ભાવની અપેક્ષાએ ઘટના અનંત ધર્મો સમજી લેવાના છે. વળી, અત્યાર સુધી દ્રવ્ય, ક્ષેત્ર અને કાલ વિગેરેની અપેક્ષાએ ઘડાના જે સ્વધર્મો અને પરધર્મો કહ્યા છે તે બન્ને ધર્મો સહિત ઘડે, કહી શકાય તેમ નથી. કારણ કે, એવો એક પણ શબ્દ નથી કે, જે પિતે એક જ હાઈને પણ તે બન્ને અનંતાનંત ધર્મો સહિત એવા ઘડાને એક જ સમયે જણાવી શકે. જે એ માટે કોઈ એક નવા શબ્દને ઉમે કરવામાં આવે તે પણ તે, એ બધા ધર્મો સહિત ઘડાને એક જ સમયે જણાવી શકે એમ નથી–એ બધા ધર્મો સહિત ઘડાને બોધ ક્રમે કરીને જ થઈ શકે છે, આમ છે માટે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ વિગેરેની અપેક્ષાએ ઘડામાં અવક્તવ્યતા ધર્મ પણ હોઈ શકે છે અને એ, પૂર્વની જ પેઠે કહી શકાય એવા અનંત ધર્મો અને બીજા પદાર્થોથી જુદો હોવાથી એ ઘડામાં અવક્તવ્ય એવા અનંત પર-ધર્મો પણ સમાઈ જાય છે. તો આ પ્રકારે જેમ એકલા ઘડામાં જ અનંત ધર્મો બતાવ્યા છે તેમ પદાર્થ માત્રમાં એટલે આત્મા વિગેરેમાં પણ અનંત ધર્મો ઘટાવી લેવાના છે. આત્મામાં એ અનંત ધર્મો આ પ્રમાણે છેઃ–-ચેનપણું કર્તાપણું, ભોગવનારપણું, જાણકારપણું, યપણું, અમૂર્તપણું, અસંખ્યપ્રદેશપણું, નિશ્ચલ આઠપ્રદેશપણું, લેક પ્રમાણુ–પ્રદેશપણું, જીવપણું, અભવ્યપણું, ભવ્યપણું, પરિણામિપણું, પિોતાના શરીરમાં વ્યાપી રહેવાપણું –એ બધા આત્માના સહંભાવી (આત્માની સાથે નિરંતર રહેતા) ધર્મો છે. તથા ખુશી, શોક, સુખ, દુઃખ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞા', અવધિજ્ઞાન, મનઃ પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન, ચક્ષુર્દર્શન, અચક્ષુદર્શન; દેવપણું, નારકિપણું, તિર્યચપણું અને મનુષ્યપણું, બધાં પુદ્ગલેની સાથે શરીર વિગેરેએ કરીને સંયોગ, અનાદિ અનંતપણું, બધા જીવોની સાથે બધા પ્રકારના સંબંધનું ધારકપણું, સંસારિપણું, ધ વિગેરે અસંખ્ય પરિણામપણું, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક અને ઘણું, સ્વીપણું, પુરુષપણું, નપુંસકપણું, મૂર્ણપણું, આંધળાપણું અને બહેરા વિગેરે પણું –એ બધા આત્માના કમ ભાવી (કમ કરીને થનારા). ધર્મો છે. જે આત્મા મુક્તિને પામ્યા છે તેમાં તે સિદ્ધપણું, સાદિ અનંતપણું, જ્ઞાન, દર્શન, સમ્યકત્વ, સુખ અને વીર્ય છે. અને અનંત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ s, J. P. H. 20–21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy