________________
શ્રીહરિભદ્રજીની કૃતિમાં શી રીતે ગણી શકાય?
જેમ આ ગ્રંથમાં શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકેનું એક પણ નિશાન મળતું નથી, તેમ એવા જ બીજા શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે ઓળખાતા અનેક ગ્રંથ છે—જેમાં–શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે કોઈ નિશાન સ્પષ્ટપણે વિદ્યમાન જણાતું નથી. તે પણ તે તે ગ્રંથને બીજા બીજા વિહિત આચાર્યોએ શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે પોતપોતાના ગ્રંથમાં વર્ણવેલા છે, તેથી તે ને શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે ગણવામાં જેમ કશો બાધ જણાતું નથી, તેમ આ ગ્રંથમાટે પણ સમજી લેવું જોઈએ એ ઉપર્યુક્ત પ્રશ્નનું આ જાતનું કામ ચલાઉ સમાધાન હાલ તુરત હું જણાવી શકું છું.
. ખરી રીતે તે એ પ્રશ્નનું વાસ્તવિક સમાધાન પ્રાપ્ત કરવા માટે શ્રીહરિભદ્રજીના બધા ગ્રંશે જોવા જોઈએ અને તદુપરાંત બીજા પણ કેટલાક ગ્રંથ જેવા જોઈએ. તે જરૂર એ ગ્રંથોમાં “૩ રામમિઃ ઘરનામુ ” વા તથા રાષ્ટ્ર જનસમુચે શ્રીમિજૂરિ: ” એ જાતને એ બેમાંને કઈ પણ ઉલ્લેખ જરૂર મળી શકે અને તેમ થાય તે જ એ પ્રશ્ન તદન અશંક થઈ શકે. પરંતુ હું જે સ્થળમાં રહીને આ ચર્ચા કરી રહ્યો છું ત્યાં આ પ્રશ્નને સર્વથા અશંક કરવા માટે મને એક પણ સાધન મળી શકે તેમ નથી માટે જ મારે ઉપર્યુક્ત કામ ચલાઉ સમાધાન જણાવી આ સંબંધે ઈતિહાસની ક્ષમા માગવી પડે છે.
- ૨. સમઢિલ્યથા (મરચા ) નામને ગ્રંથ-જે શ્રીહરિભદ્રજીની કતિ તરીકે સુપ્રસિદ્ધ છે, તેમાં ગ્રંથકારે, જેમ બીજા બીજા ગ્રંથમાં જણાવ્યું છે તેમ પિતાની કૃતિનું નિશાન–પોતાનું સ્પષ્ટ નામ વા “વિરહ’ શબ્દને પગ મૂકેલે નથી, તો પણ એ ગ્રંથને શ્રીહરિભદ્રજીને જ માનવામાં–ગણવામાં –આવે છે. એ ગ્રંથને છેવટને (સમાપ્તિનો) ભાગ આ પ્રમાણે છે
एयं जिणदत्तायरियस्स उ अवयवभूएण चरियमिणं । जं विरइऊण पुनं महाणुभावचरियं मए पत्तं । तेणं गुणाणुराओ होइ इहं सव्वलोयस्स ॥" [" एतद् जिनदत्ताचार्यस्य तु अवयवभूतेन चरितमिदम् । यद् विरचय्य पुण्यं महानुभावचरितं मया प्राप्तम्। तेन गुणानुरागो भवति इह सर्वलोकस्य |"]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org