SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ -- - -- શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણો ૨૧૩ અન્નજીવી. ૧૩૬ કેશી કુમારશ્રમણનું હષ્ટપુષ્ટ અને કાંતિવાળું મેટું તાનું શરીર જોઈને રાજાને મન આ પ્રશ્ન ઉદ્ભવેલો છે. જેઓ તપસ્વી હોય અને ભિક્ષા માં આવેલ અંતપ્રાંત અન્ન ખાતા હોય તેઓનું શરીર આવું મેટું તાજું અને કાંતિવાળું હોઈ શકે ખરું ? એ જાતની રાજાને મન શંકા છે. ટીકાકાર પણ આ જ ખુલાસો આપે છે. ( “gs વિક્રેઝ શ્રાદ્દારયાત ૪ ર રનમક્ષ નંવાચ: રાપરન્તઃ ૩પત્તિઃ ઈત્યાદિ–પૃ૦ ૧૩૦ ). જ્ઞાનના પાંચ પ્રકાર ૧૩૭ જ્ઞાનના નાના મોટા અનેક પ્રકારે અને તેની વિશેષ સમજુતી માટે જુઓ નંદીસૂત્ર અથવા ભગવતીસૂત્ર. સમોસરણ ૧૩૮ સમેસરણ એટલે એક મતમાં “ધણુઓનું મીલન”— (“uત સવારદુરામેત્ર માન-પૃ. ૧૩૩ ટીકાકાર) મારા દાદા ૧૩૯ દીધનિકાયમાં આ બાબત નીચેની હકીકત છે. રાજા પાયાસિ અને કુમાર કાશ્યપ એ બે વચ્ચે મુલાકાત થતાં પાયાસિ પિતાની શંકાઓ કાશ્યપ પાસે રજુ કરે છે. પછી કાશ્યપ, રાજાને સમજાવવા કહે છે કે – હે રાજન્ય ! આ ચંદ્ર શું છે? સૂરજ શું છે ? તેઓ આ લોકમાં છે કે પરલેકમાં છે ? દેવો છે કે માનવ છે? અર્થાત–આ ઉદાહરણ આપીને કાશ્યપ, રાજા પાસે પરલોકની સાબીતી આપે છે પણ રાજાને ગળે આ વાત ઊતરતી નથી. પછી રાજા કહે છે કે, મારા કેટલાક જાતભાઈઓ અને મિત્રો પ્રાણાતિપાતાદિકમાં મસ્ત રહેતા, તેઓને મેં કહી રાખેલું કે પ્રાણાતિપાતાદિકથી તમે નરકે જાઓ તે મને એ બાબતની સૂચના કરવા અહીં આવજે. પણ તેઓ અહીં આવ્યા નહિ તેમ કોઈ દૂતને પણ તેમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy