________________
२०८
શ્રી રાયપણઈય સુત્ત ઃ ટિપણો
આવેલા પાયાસિસુરંતમાં આ નગરીને “સેતવ્યા” નામથી સૂચવેલી છે અને કેશલ દેશમાં (જૈન દષ્ટિએ અયોધ્યા અને તેની આસપાસનો પ્રદેશ) વિહાર કરતા કરતા કુમાર કાશ્યપ આ નગરીમાં આવ્યા એમ સૂચવી એને કોશલેના નગર તરીકે જણાવેલી છે. (“ચેન સેતવ્યા ના સાને ના તદ્ અવસરિ”—દીઘનિકાય ભાગ ૨ પૃ. ૩૧૬ ) પએસી
૧૨૪ મૂળમાં આ માટે “પએસી” કે “ સી” શબ્દ વપરાએલો છે, ટીકાકાર આ માટે “ પ્રદેશી” શબ્દ વાપરે છે અને આવશ્યકમાં “પદેસી’ શબ્દ સૂચવેલો છે. આ રાજા સંબંધી જે હકીકત હવે પછી આ “રાયપણુઈય” સૂત્રમાં આવનારી છે, તેને લગભગ મળતી હકીકત દીવનિકાયના “પાયાચિસુનંત” નામના લાંબા પ્રકરણમાં આવેલી છે. (“T ચારિ' શબ્દમાં ‘ય’ ની પહેલાં જે કાના જેવું નિશાન છે તે, ખરેખર કાને નથી પણ પડિમાત્રાની લિપિમાં એ કાના જેવું નિશાન “ય” ઉપરની માત્રા છે એટલે એનું ખરું વાંચન “પસિ” થાય, પણ માત્રા વાંચવાની ભૂલના પરિણામે અને ‘ય’ પછી બીજો એક કાને વધી જવાને કારણે “પસિ” ને બદલે “પાયાસિ’ થયું હોય એમ ન બને ?) એ સુરંતમાં મુખ્ય પ્રશ્નકાર રાજા “પાયાસિ' છે, તેમાં તેને રાજન્ય વંશને જણાવેલો છે અને તેનો સંબંધ કોશલ વંશના રાજા
પસેનદિ' સાથે બતાવેલ છે. રાયપસેણઈયમાં જેમ રાજા પાયેસીને અત્યંત પાપિસ્ટ તરીકે વર્ણવેલો છે તેમ દીઘનિકાયમાં નથી. પરંતુ એમાં એમ તો કહેવું છે કે-એ રાજાને પાપમય વિચારો થએલા; પરલોક નથી, પપાતિક સત્તા નથી અને સુકૃત તથા દુષ્કતનો કઈ પ્રકારને ફળવિપાક-પરિણામ-નથી. આ રાજા વિશે બીજી કોઈ ઐતિહાસિક માહિતી મળી નથી. (તેન રવો જન સમથેન વાવાણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org