________________
પ્રવેશ ક
[ જિજ્ઞાસુનું જીવનવૃત્ત ] પાઠકેના હાથમાં આવતા આ અનુવાદરૂપ પુસ્તકનું મૂળ નામ “રાયપાસેણઈય” છે. તેના બે ભાગ પાડી શકાય ઃ પૂર્વભાગ અને ઉત્તરભાગ.
આ સમગ્ર ગ્રંથમાં એક જિજ્ઞાસુની જીવનકથા આલેખાએલી છે. ગ્રંથકારે વાચકોની જિજ્ઞાસાને ઉત્તેજિત કરવા, જિજ્ઞાસુની જીવનીને જે ઉત્તરભાગ છે તે પૂર્વ ભાગમાં ઉત્તેજક ભાષાકારા વર્ણવેલો છે અને તેને જે પૂર્વભાગ છે તે ઉત્તરભાગમાં સાંકળેલો છે.
આપણે અહીં ઉત્તરભાગમાં વર્ણવાએલી અનુકરણીય જીવની વિશે જ વિચાર કરવાનો છે. એ સંવાદકથા જેવી જીવનદ્વારા પણ આપણા વર્તમાન જીવનમાં ક્યાં કે અને કઈ રીતે ફેરફાર કરીએ તે કલ્યાણમાર્ગની પ્રાપ્તિ માટે આપણે ચાલુ પ્રયાસ સફળ થઈ શકે એ સ્પષ્ટ સમજી શકાય એમ છે.
જિજ્ઞાસુનું નામ પસી છે. અહીં તેને એક ક્રૂર રાજા તરીકે ઓળખાવેલો છે. તેને એક મિત્ર કહે, અમાત્ય કહો, કે સારથિ કહો, તે ચિત્ત નામે કલ્યાણમિત્ર છે. એ રાજ્યકર્મકુશળ અને વિશેષ સમયજ્ઞ છે. ગ્રંથકારના કહેવા પ્રમાણે એસોને પિતા અને પિતામહ
જ આ ઉત્તરભાગ વાંચનાર જિજ્ઞાસુ નીચેનાં પાને ભાવ બરાબર લક્ષ્યગત કરે:
“દેવાદિગતિભંગમાં જે સમજે શ્રુતજ્ઞાન માને નિજ મત વેષને આગ્રહ મુક્તિનિદાન.” “જે જિનદેહ પ્રમાણને સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું રકિ રહે નિજ બુદ્ધિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org