SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ स्वयमेव यतः सम्यग्बुद्धा नान्येन बोधिताः सर्वे । तेन स्वयंसंबुद्धास्तेषां नमः संपद्वितीया ।। ३०३ ।। તીર્થકરો સ્વયં બોધ પામેલા છે, બીજા કોઈ દ્વારા બીઘ પમાડાયેલા નથી તેથી સર્વે તીર્થકરો સ્વયંસંબુદ્ધ કહેવાય છે, તેઓને નમસ્કાર થાઓ. -આ બીજી સંપદા થઈ. (૩૦૩). (પુરિસરમાણે) पुरिसा संसारिजिया, नर-नारय-तिरिय-देवगइवासी । સન્વેસિ તેfસ પુના, રતિ રિસોત્તમાં તહીં રૂ૦૪ .. पुरुषाः संसारिजीवा नर-नारक-तिर्यग्देवगतिवासिनः । सर्वेषां तेषां पूज्या भवन्ति पुरुषोत्तमास्तस्मात् ।। ३०४ ।। અહીં પુરૂષ એટલે મનુષ્ય-નરક-તિર્યંચ અને દેવગતિમાં વસતા સર્વ સંસારી જીવો; તે સર્વેને પરમાત્મા પૂજ્ય હોવાથી તેઓને પુરૂષોત્તમ કહેવાય છે. (૩૦૪) (પુરિસસીહાણે) बीहंति न चेव जओ, उवसग्ग-परीसहाण घोराणं । विअरति असंकमणा, भन्नति तओ पुरिससीहा ।। ३०५ ।। बिभ्यति न चैव यत उपसर्ग-परिषहाणां घोराणाम् । विचरन्त्यशङ्कमनसो भण्यन्ते ततः पुरुषसिंहाः ।। ३०५ ।। ભયંકર ઉપસર્ગો અને પરીષહોથી જરા પણ ડરતા નથી અને નિશંક મનવાળા થઈને સર્વત્ર વિચરે છે, તેથી તેઓને જીવોમાં સિંહ સમાન કહેવાય ૧ લલિતવિસ્તરામાં :- શરીરને વિષે રહેનારા હોવાથી પુરુષો = જીવો, તેઓને વિષે પોતાના સહજ (સ્વાભાવિક) તથા ભવ્યત્યાદિને કારણે જેઓ પ્રધાન છે તે પુરૂષોત્તમ, તથા સદાકાળ માટે પરાર્થ કરવાના વ્યસનવાળા, સ્વાર્થને ગૌણ બનાવનારા, ઉચિત ક્રિયાવાળા, સહેજ પણ દીનતા ધારણ નહીં કરનારા, કાર્યને પાર પાડનારા, અપકારી પર વૈર નહીં રાખનારા, કૃતજ્ઞ, મલિન ભાવોથી રહિત વિશુદ્ધ ચિત્તવાળા, દેવ અને ગુરૂનું બહુમાન કરનારા અને ગંભીર પ્રકૃતિવાળા પરમાત્માઓ હોય છે. ૨ લલિત વિસ્તરામાં - પરમાત્માઓ સિંહની જેમ ઉત્કૃષ્ટ એવા શૌર્યાદિ ગુણોથી પ્રખ્યાત છે તેથી પુરૂષસિંહ છે. કર્મશત્રુઓને હરાવવામાં શૂરવીરતાથી, તેનો નાશ કરવામાં અત્યંત ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy